- ખેડૂતોને નિઃશુલ્ક બાયોચાર વિતરણ કરાતું હતું
- જેસીબી દ્વારા જમીનમાંથી કાઢી મશીન દ્વારા બાયોચાર બનાવાય છે
- સાધનો ચોરી કરી લઇ જતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો
જોરાવરનગરના ટ્રસ્ટ દ્વારા બાવળ કાઢી બાવળમાંથી બાયોચાર બનાવી ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા નિઃશુલ્ક વિતરણ કરતા પહેલા જ 700 કિલો જેટલું સળગાવી દેતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો હતો.
જોરાવરનગરના શીવલાલ માકાસણા ટ્રસ્ટના ચંદ્રેશભાઇ પટેલ દ્વારા વઢવાણ તાલુકામાં ખેડૂતોને નુકશાન કરતા ગાંડા બાવળ જેસીબી દ્વારા જમીનમાંથી કાઢી મશીન દ્વારા બાયોચાર બનાવાય છે. આ બાયોચાર ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા માટે નિઃશુલ્ક આપવાનું નકકી કરાયુ છે. આ કામ વઢવાણ તાલુકાના ખેરાળી ગામની કેનાલ પાસે ચાલતુ હતુ અને 700 કિલો જેટલુ બાયોચાર બનાવીને રખાયુ હતુ. પરંતુ ખેડૂતોને નિઃશુલ્ક વિતરણ કરતા પહેલા જ કોઇ વિધ્નસંતોષી અજાણ્યા શખ્સો દ્વારા આ બાયોચારનો જથ્થો સળગાવી દઇ મોટર દેડકો, સાધનો ચોરી કરી લઇ જતા ખેડૂતોએ રોષ વ્યકત કર્યો છે. ટ્રસ્ટના ચંદ્રેશભાઇ દ્વારા ખેડૂતોને નિઃશુલ્ક બાયોચાર આપવાના કાર્યમાં કોણે આવુ કામ કરાવ્યુ હશે એમને જોરાવરનગર પોલીસ શોધી કડક કાર્યવાહી કરે એવી ખેડૂતોની માંગ ઉઠી છે.


