અરબી સમુદ્રમાં સોમનાથથી 3૭૮ કિલો મીટર દૂર થયો ડ્રોન એટેક
કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમ ઘટના સ્થળે રવાના : સેના એલર્ટ
અરબી સમુદ્ર વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેકની ઘટના સામે આવી છે. વેપારી જહાજ પર અજાણ્યા એરીયલ વાહન દ્વારા હુમલો કરાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હુમલો વેરાવળથી દક્ષિણ-પશ્ચિમ ભાગમાં થયો છે. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. આ અકસ્માતની સ્થિતિ અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ વિસ્ફોટના સમાચારથી મધ્ય દરિયે વિહરતા જહાજોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
UKMTOએ અન્ય જહાજોને આ વિસ્તારમાંથી સાવધાની સાથે પસાર થવા ચેતવણી જાહેર કરી છે. અરબી સમુદ્ર વેરાવળ નજીક ભારતીય જહાજ પર ડ્રોન એટેક, હુમલા બાદ ભીષણ આગ લાગી છે. ભારતીય અધિકારીઓ હજુ સુધી આ ઘટનાની પુષ્ટિ કે ઇનકાર કરી શક્યા નથી. જો કે, સોશિયલ મીડિયા પર વિસ્ફોટના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.
હુમલા પાછળનું કારણ અને હુમલાખોર હજુ પણ અજાણ છે. અધિકારીઓએ તપાસ શરૂ કરીને સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર અરબી સમુદ્ર દરિયાઈ સુરક્ષાની ચિંતાઓને ઉજાગર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ચાંચિયાગીરીની અનેક ઘટનાઓ સામે આવી છે. આ સિવાય તટીય સુરક્ષા દળોએ તાજેતરમાં કેટલીક પાકિસ્તાની બોટને અટકાવવામાં સફળતા મેળવી છે. જે શંકાસ્પદ ગતિવિધિઓમાં વ્યસ્ત હતી.
આ ઘટના માત્ર ભારતીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે પણ ગંભીર અસરો કરી શકે છે. જહાજો પરના હુમલાઓ આંતરરાષ્ટ્રીય વેપારને વિક્ષેપિત કરે છે અને ચાંચિયાગીરીને નિરુત્સાહિત કરવા માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત છે.
આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું, શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. અરબી સમુદ્ર એક જહાજને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ ભારત આવી રહ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને તે જગ્યાએ મોકલ્યું છે. જ્યાં ભારત આવી રહેલા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. જહાજમાં ક્રૂડ ઓઈલ હતું.
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, હુમલામાં કોઈને નુકસાન થયું નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જહાજમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. બ્રિટિશ મિલિટ્રીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે અહેવાલ આપ્યો હતો કે જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું. એટલે કે સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. લાઈબેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ ઈઝરાયલનું હતું. આ જહાજનો છેલ્લે સાઉદી અરેબિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો.


