- ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો
- ચીનની ઘૂસણખોરી સામે ભારત બતાવશે પરચો
- આઇએનએસ ઇમ્ફાલ ભારતીય નૌસેનામાં સામેલ
વિકસિત ભાર આત્મનિર્ભર ભારત બની રહ્યુ છે. પછી તે સંરક્ષણ ક્ષેત્રની વાત જ કેમ ન હોય. ત્યારે દુનિયાને સ્વદેશી જહાજની તાકાત દેખાશે. કારણ કે ભારતનું એક સ્વદેશી યુદ્ધ જહાજ આજે ભારતીય નૌકાદળમાં જોડાયું છે. તેનું નામ આઈએનએસ ઈમ્ફાલ છે, તેનો કમિશનિંગ પ્રોગ્રામ મુંબઈના નેવલ ડોકયાર્ડમાં થયો હતો. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતે મુંબઈના નેવલ ડોકયાર્ડમાં હાજર રહ્યા હતા.
INS ઇમ્ફાલની ખાસ વાત
INS ઇમ્ફાલની સૌથી ખાસ વાત એ છે કે તે નવી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલોથી સજ્જ છે. આ યુદ્ધ જહાજ 8 સરફેસ ટુ સરફેસ સરફેસ મિસાઈલ, 16 બ્રહ્મોસ એન્ટીશીપ મિસાઈલ, સર્વેલન્સ રડાર, 76 એમએમ રેપિડ માઉન્ટ ગન અને એન્ટી સબમરીન ટોર્પિડોથી સજ્જ છે. હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી ઘૂસણખોરી અને અરબ સાગરમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતના સંરક્ષણ માટે આ એક મોટું પગલું છે.
75 ટકા છે સ્વદેશી
INS ઈમ્ફાલ એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વના એક શહેર પર રાખવામાં આવ્યું છે. 2019માં રાષ્ટ્રપતિએ આ યુદ્ધ જહાજના નામકરણને મંજૂરી આપી હતી. આ વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયર છે. તે ભારતીય નૌકાદળ દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે. તેનો 75% સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ યુદ્ધ જહાજ
ભારતીય નૌકાદળનો દાવો છે કે INS ઇમ્ફાલ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ યુદ્ધ જહાજ છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા જતા દખલને જોતા ભારત પોતાની નૌકાદળને મજબૂત કરવામાં વ્યસ્ત બન્યુ છે.
આ છે તેની 5 ખાસ વિશેષતાઓ
– INS ઈમ્ફાલમાં એર, લેન્ડ અને સ્ટ્રાઈક મિસાઈલ છે. સબમરીનનો નાશ કરવા માટે રોકેટ લોન્ચર અને 76 એમએમ સુપર રેપિડ ગન પણ છે.
– INS ઇમ્ફાલ બરાક 8 મિસાઇલ, 16 બ્રહ્મોસ મિસાઇલ, સર્વેલન્સ રડાર અને ટોર્પિડોથી સજ્જ છે.
– તે ન્યુક્લિયર, કેમિકલ કે જૈવિક હુમલામાં પણ લડવાની ક્ષમતા ધરાવે છે.
– આના પર 300 નાવિક એકસાથે રહી શકે છે. તે એક સમયે લગભગ 42 દિવસ સુધી દરિયામાં રહેવાની ક્ષમતા ધરાવે છે.
– આ યુદ્ધ જહાજની લંબાઈ 535 ફૂટ, ઊંચાઈ 57 ફૂટ અને કુલ વજન લગભગ 7400 ટન છે.


