- એનસીપી નેતાએ ભગવાન રામ અંગે કર્યો બફાટ
- ભગવાન રામને માંસાહારી કહેતા વિરોધનો વંટોળ શરૂ
- તપસ્વી છાવણીના પૂજારીએ આપી ચેતવણી
અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઇને રાજનીતિ પણ ગરમાઇ રહી છે. વિપક્ષીઓ દ્વારા બેફામ નિવેદનબાજી કરતા વિરોધ વકરી રહ્યો છે.એનસીપી નેતા જિતેન્દ્ર આહ્વાડના નિવેદનથી બીજેપી સહિત સંતો મહંતોમાં રોષની લાગણી ફરી વળી છે. ત્યારે અયોધ્યાના તપસ્વી છાવણીના પૂજારી આ નિવેદન સાંભળીને ભયંકર રોષે ભરાયા. તેમણે તો જિતેન્દ્ર આહ્વાડને મારવા સુધીની ચેતવણી આપી દીધી.
નહી તો હું તેનો વધ કરી દઇશ- આચાર્ય
આ મામલે અયોધ્યાના તપસ્વી છાવણીના પૂજારી આચાર્ય જગદગુરુ પરમહંસે જણાવ્યું કે હું આવા નિવેદનની સખત ટીકા કરુ છું. નિશ્ચિત રૂપથી આ નિવેદન નિંદનીય તો છે જ પરંતુ રામભક્તોને પણ દુઃખ પહોંચાડ્યુ છે. સાથે જ જણાવ્યુ કે જો કોઇ અન્ય ધર્મ વિશે આવુ નિવેદન આપ્યું હોય તો કાર્યવાહી થઇ ગઇ હોત. આથી હું મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને અપીલ કરુ છુ કે આવા લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે.
શ્રીરામનું અપમાન સહન નહી થાય- આચાર્ય
પ્રભુ શ્રીરામનું અપમાન સહન નહી કરાય. આ હિંદુસ્તાન રામનું અપમાન સહન નહી કરે. જો સખત કાર્યવાહી ન થઇ તો એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડનો વધ હું કરીશ. હું ચેતાવણી આપુ છું . શાસ્ત્રોનુ જ્ઞાન પહેલા તમે મેળવો. મર્યાદા રામ રાક્ષસોનો નાશ કરતા હતા. અપમાન કરવાનો અધિકાર કોઇને નથી. એનસીપી નેતા ભલે ગમે ત્યાં છૂપાઇ જાય. તને ચપ્પલ મારી મારીને તારો વધ કરીશ.


