- શિયાળાની જમાવટમાં ફરી રૂકાવટ આવશે, હવામાનમાં પલટાના સંકેત
- મંગળવારથી ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદી માહોલ જામશે
- વરસાદી માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો વધશે
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શિયાળાની સિઝનની જમાવટ શરૂ થઈ હતી. લઘુતમ અને મહત્તમ તાપમાન નોર્મલ સ્થિતિમાં આવતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધ્યો હતો. પરંતુ બીજી તરફ હવામાન ખાતા દ્વારા વાતાવરણમાં પલટો આવવાના સંકેતો અપાતા ફરી એકવાર શિયાળાની જમાવટમાં રૂકાવાટ આવશે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ સોમવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ મંગળવારથી ઉત્તર ગુજરાતમાં હળવો કમોસમી વરસાદ પડશે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો વધશે.
રાજ્યમાં શિયાળાની શરૂઆત બાદ નિરંતર વાતાવરણમાં પલટો આવતાં શિયાળું પાક પર સતત નુકસાનીનો ભય મંડરાયેલો જ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં માંડ ઠંડીનો ચમકારો વધતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ શરૂ થયો હતો, ત્યારે હવે ખેડૂતોની ચિંતા વધે એ પ્રકારના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો શરૂ થશે અને સોમવારના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં હળવો કમોસમી વરસાદ પડશે. બીજા દિવસે મંગળવારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને જુનાગઢમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં વરસાદની આગાહી
સોમવાર : નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ
મંગળવાર : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, બુધવાર : બનાસકાંઠા અને સાબરકાંઠ


