મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦માં જન્મોત્સવ ઊજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજ રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ મોરબી જિલ્લાના ટંકારામાં આર્યસમાજ આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦ મા જન્મોત્સવ ઊજવણી કાર્યક્રમમાં પધાર્યા છે. ટંકારાના હેલિપેડ ખાતે બપોરે ૧૨ કલાક દરમ્યાન રાષ્ટ્રપતિનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ આર્યસમાજ મુખ્ય મહાનુભાવો ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અને મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ રાષ્ટ્રગાન ગાયું હતું. તેમજ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કર્યા હતા. રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી ના સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ પણ કરશે.રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 3 એસ.પી, 5 ડી.વાય.એસ.પી , 20 થી વધુ પી.આઈ અને એક હજાર પોલીસકર્મીઓ ખડે પગે છે.