- ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર
- અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી
- કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ
અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં રાજપીપળાના 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે. ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર જોવા મળી છે. તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી.
ફૂડ પોઈઝનિંગ બાદ AMCએ કાર્યવાહી કરી
ફૂડ પોઈઝનિંગ બાદ AMCએ કાર્યવાહી કરી છે. જેમાંનિકોલની મેરીગોલ્ડ રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરાયું છે. AMCની ટીમે રેસ્ટોરન્ટમાંથી પનીરના સેમ્પલ ચેકીંગ માટે લીધા છે. તેમજ રેસ્ટોરન્ટમાં ખાધા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. તથા સેમ્પલને લેબોરેટરીમાં મોકલાશે.
રેસ્ટોરન્ટના રસોડામાં સાફ સફાઈ મેઇન્ટેઈન કરવા માટે AMC એ પાઠવી નોટિસ.
કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી ઊભી રાખી 108 બોલાવી હતી. જેમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા હતા. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા. જેમાં ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાતા ઘટના બની હતી. ફુડ પોઈઝનિંગ થતાં જાનૈયાઓને એલ.જી.હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 5 દર્દીઓને એલ.જી હોસ્પિટલ લવાયા તેમજ ઘટનાને પગલે હોટેલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા છે.
વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની હતી. જેમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત બગડતાં નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી 108 ને જાણ કરવામાં આવી હતી. જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઇઝીનિંગ થયુ હતુ. દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર છે.


