વઢીયાર પંથકમાં આવેલ સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે મહા સુદ આઠમના દિવસે માતાજીની જન્મ જયંતી નિમિત્તે લાખો ભક્તોએ શીશ નમાવી માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી સાથે સાથે તલ ગોળ અને તલ ખાંડની સાનીની પ્રસાદ ધરાવી હતી.
સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે મહા સુદ બીજ થી પુનમ સુધી મીની કુંભ સમાન ભાતીગળ મેળાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે દુર દુર થી માઇ ભકતો માતાજીના આશીર્વાદ લેવા માટે પગપાળા સંઘો મારફતે તેમજ વાહનો લઇને આવતાં હોય છે ત્યારે મેળા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પણ ખડેપગે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુથી કાર્ય કરતુ હોય છે તેમજ મેળામાં ચકરડી, ખાણીપીણી સહીત અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે ત્યારે આજરોજ માતાજીના જન્મ જયંતી નિમિત્તે ખોડીયાર માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી લાભુદાન ગઢવીએ માતાજીનો ઇતિહાસ વર્ણવતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખોડલ માતાજી નો જન્મોત્સવ વરાણા ધામે ઉજવાય છે અન્ય આવેલા આઈ શ્રી ખોડિયાર મંદિરોમાં ક્યાંય પણ તલવટ નો સાની પ્રસાદ ચઢાવવામાં આવતો નથી માત્ર વરણા ધામે જન્મોત્સવના ભાગરૂપે આ પંદર દિવસનો ધાર્મિક મેળો ભરાવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આઈ શ્રી ખોડીયાર મામડ નામના ચારણના ઘેર અવતાર ધારણ કર્યો હતો સને ૮૦૦ થી ૯૦૦ ના સમયમાં જેસલમેર પાસેના ચારણની થી નિકળી માં ખોડલ ગુજરાત સૌરાષ્ટ્ર તરફ જવા નીકળ્યા હતા જ્યાં રસ્તામાં વરાણા ની આ ભૂમિ પર રોકાણ કર્યા ની દંત કથા છે મહા સુદ આઠમનો માતાજીના જન્મોત્સવની ઉજવણી ના ભાગરૂપે મહા સુદ બીજ થી પૂનમ સુધી લોકો પ્રસાદ ચડાવવા ઉમટી પડે છે અને લાખો લોકો માતાજીના દર્શનાર્થે ઉમટે છે અને આજે માતાજીના જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટે છે વરાણા ખાતે ભરાતો ખોડલ મેળો એટલે ધબકતા લોક જીવનની ભાતીગળ સંસ્કૃતિના દર્શન જોવા મળે છે


