- PM મોદીએ જમ્મુમાં 30,000 કરોડથી વધુના વિકાસ પ્રોજ્કટની શરુઆત કરી
- 2024ના વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને લઈને મોટી જાહેરાતો કરાઈ હતી
- વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા IIT-ભિલાઈ કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ પ્રોજેક્ટમાં શિક્ષણ ક્ષેત્રનો પણ વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં IIT જમ્મુ, IIT તિરુપતિના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. આ સિવાય પીએમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) કોલેજોનું પણ ઉદ્ઘાટન કરશે.
જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોની શરુઆત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં 30 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી. લોકોને સંબોધતા તેમણે આ પ્રોજેક્ટ્સ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે IIM અને IITs (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) પર ફોકસ કરવામાં આવશે જેથી કરીને દેશના દરેક ખૂણે વિદ્યાર્થીઓ માટે તકો ઊભી કરી શકાય. આવો જાણીએ આ સંસ્થાઓ દેશમાં ક્યાં છે જેના લાભ મળશે.
PM મોદીએ IIT ભિલાઈના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું
વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા IIT ભિલાઈના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું છે. IIT ભિલાઈનું આ કેમ્પસ 400 એકર વિસ્તાર પર આધારિત છે. તેના નિર્માણમાં કુલ 1090 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ભિલાઈ કેમ્પસને બનાવવામાં લગભગ 4 વર્ષ લાગ્યાં. છત્તીસગઢને શિક્ષણના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જમ્મુ સહિતની આ IIT સંસ્થાઓને વિકસાવવામાં આવશે
આ પ્રોજેક્ટમાં, IIT કેમ્પસ જમ્મુનો વિકાસ કરવામાં આવશે જેથી કરીને પહાડી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ કરવા માટે તેમના ઘરથી દૂર આવવું ન પડે. આ ઉપરાંત આંધ્રપ્રદેશના તિરુપતિમાં સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને લઈને પણ કામ કરવામાં આવશે. IITDM કાંચીપુરમ પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે. આ સંસ્થામાં ડિઝાઇન અને ઉત્પાદનનું કામ કરવામાં આવે છે.
PM મોદી IIM સંસ્થાઓનું ઉદ્ઘાટન કરશે
આ સિવાય પીએમ નવા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) જમ્મુ, IIM બોધ ગયા, IIM વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કરશે. એટલું જ નહીં, કેન્દ્રીય વિદ્યાલય કેવીની 20 ઇમારતો અને 13 નવી નવોદય વિદ્યાલયોનું ઉદ્ઘાટન પીએમ દ્વારા દેશભરમાં કરવામાં આવશે.
બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી
2024ના વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં ઉચ્ચશિક્ષણની નવી સંસ્થાઓ બનાવવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટે 7 IIT, 16 IIIT, 7 IIM, 15 AIIM અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારતમાં 23 IIT કેમ્પસ સ્થાપિત છે.


