- ચંદીગઢ મેયરની ચૂંટણીમાં AAP-કોંગ્રેસ ગઠબંધનને મોટી જીત
- AAPના ઉમેદવાર કુલદીપ કુમારને સુપ્રીમ કોર્ટે મેયર જાહેર કર્યા
- સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનું હું ખૂબ સન્માન કરું છુંઃ મેયર
ચંદીગઢમાં મંગળવાર(20 જાન્યુઆરી)એ એક મોટો નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે AAP કાઉન્સિલર કુલદીપ કુમારને ચંદીગઢના મેયર જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ કુલદીપ કુમારે કહ્યું કે, તેમને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ હતો કે, તેમને કોર્ટમાંથી ચોક્કસ ન્યાય મળશે. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો અને કહ્યું કે, તેઓ અમારી લડાઈમાં અમારી સાથે છે.
સત્યને ખલેલ પહોંચાડી શકાય, પણ સત્યને દબાવી કે કચડી શકાતું નથી
કુલદીપ કુમારે કહ્યું, “સત્યને ખલેલ પહોંચાડી શકાય છે પરંતુ તેને દબાવી અને કચડી શકાતી નથી. આ વાત આજે સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા કહેવામાં આવી છે. આ લોકોએ લોકશાહીને મારવાનો પ્રયાસ કર્યો હતો. આજે આપણે ભારતમાં લોકશાહીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હું આ નિર્ણયનું ખૂબ જ સ્વાગત કરું છું. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનું હું ખૂબ સન્માન કરું છું.”
રિટર્નિંગ ઓફિસરે લોકશાહીને મારવાનો પ્રયાસ કર્યો
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહના વર્તન પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર કુલદીપ કુમારે કહ્યું, “નિષ્પક્ષ ચૂંટણી કરાવવાને બદલે તેણે ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું. તે બીજેપીનો હતો. તેણે ખુબ ખોટું કર્યું અને લોકશાહીને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેને ઠપકો આપ્યો હતો અને નોટિસ પણ આપી હતી. આવા વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી આવા લોકો ભવિષ્યમાં પણ કોર્ટથી ડરતા રહે.


