- સાઉદી સરકારે મસ્જિદો માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી
- આ વર્ષે રમઝાન મહિનો 10 માર્ચથી થશે શરૂ
- મુસ્લિમ દેશોમાં રમઝાનની તૈયારીઓ શરૂ
પવિત્ર રમઝાન મહિનાની આવતા મહીનાથી શરૂઆત થવાની છે,તો ઇસ્લામ ધર્મમાં આ મહિનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દુનિયાભરમાં રમઝાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.સાઉદી અરેબિયાએ રમઝાનને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મસ્જિદોમાં ઈફ્તારને લઈને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે,રમઝાનમાં ઉપવાસ તોડવા માટે, મોટાભાગની મસ્જિદોમાં ઈફ્તાર (સાંજે ખાવા-પીવાની) વ્યવસ્થા કરવામાં આવે છે, આ વ્યવસ્થા પ્રવાસીઓ અને ગરીબ લોકો માટે કરવામાં આવે છે.રમઝાન પહેલા, સાઉદી ઇસ્લામિક બાબતોનું મંત્રાલય ઘણી તૈયારીઓ કરે છે, આ પ્રતિબંધ પણ આ તૈયારીઓનો એક ભાગ છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે,રમઝાન દરમિયાન યોજાયેલી ઈફ્તારને સ્વચ્છ રાખવા માટે મસ્જિદોની અંદર ન યોજવી જોઈએ. તેના બદલે, ઇફ્તારનું આયોજન નિયુક્ત સ્થાન અથવા મસ્જિદના પ્રાંગણમાં કરવું જોઈએ. આ ઉપરાંત, અન્ય ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, જેમ કે મસ્જિદોની અંદર કેમેરાના ઉપયોગ અને મીડિયાને ઇમામના ભાષણનું જીવંત પ્રસારણ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ટૂંકા રાખવા નિવેદન
રમઝાનમાં યોજાયેલી વિશેષ નમાજ ‘તરવીહ’ દરમિયાન, મસ્જિદોના ઈમામોને તેમના નિવેદનો ટૂંકા રાખવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય મસ્જિદમાં આપવામાં આવેલા નિવેદનો (ભાષણો)માં માત્ર ઉપવાસ કરનારાઓ માટે ફાયદાકારક વસ્તુઓ જ જણાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે,નમાઝ અને અઝાન વચ્ચે ઓછામાં ઓછો 10 મિનિટનો સમય હોવો જોઈએ જે ઈફ્તાર પછી તરત જ કરવામાં આવશે.
રમઝાનનું મહત્વ
આ મહિનામાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો ઉપવાસ રાખે છે અને ખરાબ કાર્યોથી દૂર રહીને પયગંબર મોહમ્મદ દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે છે. ઉપવાસ દરમિયાન, મુસ્લિમો દરરોજ સવારથી સૂર્યાસ્ત સુધી ખાવા-પીવાથી દૂર રહે છે. ઈદ અલ-ફિત્ર રમઝાનના 30 ઉપવાસની ઉજવણી કરવા માટે ઉજવવામાં આવે છે.


