By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આજથી રણજી ટ્રોફી સેમિફાઇનલનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

આજથી રણજી ટ્રોફી સેમિફાઇનલનો પ્રારંભ

agragujaratnews
Last updated: 2024/03/02 at 4:26 AM
2 years ago
Share
આજથી રણજી ટ્રોફી સેમિફાઇનલનો પ્રારંભ
SHARE

  • મુંબઇ અને તામિલનાડુની મેચમાં ઐયર ઉપર નજર
  • મુંબઇની બેટિંગનો મુખ્ય મદાર ઐયર ઉપર રહેશે
  • વિદર્ભે વીસીએ સ્ટેડિયમ ખાતે વર્તમાન સિઝનની ચાર મેચ રમી છે અને ત્રણમાં વિજય મેળવ્યો છે

મુંબઇ : ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા ભારતીય બેટ્સમેન શ્રેયર ઐયર તામિલનાડુ સામે શનિવારથી રમાનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ દ્વારા 41 વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઇની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પુનરાગમન કરશે ત્યારે તેનો ટાર્ગેટ પોતાની ઉપયોગિતા સાબિત કરવાનો રહેશે. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ ઐયરે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ રમવાનું ટાળ્યું હતું જેના કારણે બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડયો હતો. ગ્રોઇનની ઈજામાંથી તે મુક્ત થઈ ચૂક્યો છે. તામિલનાડુના સ્પિન એટેક સામે મુંબઇની બેટિંગનો મુખ્ય મદાર ઐયર ઉપર રહેશે. સુકાની સાઈ કિશોર 47 તથા અજિત રામ 41 વિકેટ હાંસલ કરી ચૂક્યા છે. મુંબઇ માટે સુકાની અજિંક્ય રહાણેને બાદ કરતાં તમામ બેટ્સમેનોએ ઉપયોગી રન બનાવ્યા છે. રહાણે છ મેચમાં માત્ર એક જ અડધી સદી નોંધાવી શક્યો છે. મુંબઇનો એક પણ બોલર ટોપ-10માં નથી. મોહિત અવસ્થી 32 વિકેટ સાથે 12મા ક્રમાંકે છે. મુંબઇએ ક્વાર્ટર ફાઇનલમાં બરોડા સામે પ્રથમ દાવની લીડના આધારે અંતિમ-4માં પ્રવેશ કર્યો હતો. મુંબઇ માટે મુશીર ખાને અણનમ 203 બનાવ્યા હતા. તેના 10મા તથા 11મા ક્રમાંકના બેટ્સમેન તનુષ કોટિયાન તથા તુષાર દેશપાંડેએ પણ સદી નોંધાવી હતી. તામિલનાડુએ ગયા વર્ષની ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમને હરાવી હતી. જગદીશને 821 રન બનાવ્યા છે અને તે તામિલનાડુની બેટિંગનો આધારસ્તંભ બન્યો છે. મુંબઇના પૃથ્વી શૉ, શાર્દુલ ઠાકુર તથા શમ્સ મુલાની ઉપર પણ મોટો મદાર રહેશે.

નાગપુરમાં મજબૂત વિદર્ભ સામે મધ્યપ્રદેશ ટકરાશે

નાગપુર : મધ્યપ્રદેશની ટીમ શનિવારથી રમાનારી રણજી ટ્રોફી સેમિફાઇનલ માટે વિદર્ભ સામે મેદાનમાં ઊતરશે ત્યારે આત્મવિશ્વાસથી સભર યજમાન વિદર્ભને તેના ઘરઆંગણે હરાવવી આસાન રહેશે નહીં. બે વખતની ચેમ્પિયન વિદર્ભે વીસીએ સ્ટેડિયમ ખાતે વર્તમાન સિઝનની ચાર મેચ રમી છે અને ત્રણમાં વિજય મેળવ્યો છે. સૌરાષ્ટ્ર સામે તેનો પરાજય થયો હતો. વિદર્ભની તાકાત તેના બેટ્સમેનોનું શાનદાર ફોર્મ રહ્યું છે. સિઝનમાં કરુણ નાયરે 515, ધ્રુવ શોરેએ 496 તથા સુકાની અક્ષય વાડકરે 452 રન બનાવ્યા છે. નાગપુરની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગસમી રહી હોવા છતાં વિદર્ભના બે બોલર પેસર આદિત્ય ઠાકરે તથા સ્પિનર આદિત્ય સરવટેએ સંયુક્ત રીતે 68 વિકેટ હાંસલ કરી છે. બીજી તરફ 2022ની ચેમ્પિયન મધ્યપ્રદેશની ટીમે આઠ લીગ મેચમાં ત્રણ વિજય મેળવ્યા છે અને બાકીની મેચોમાં પ્રથમ દાવની સરસાઈના આધારે પોઇન્ટ્સ મેળવ્યા હતા. આંધ્રપ્રદેશ સામેની ક્વાર્ટર ફાઇનલમાં પણ પરાજયના દ્વારે પહોંચ્યા બાદ વિદર્ભની ટીમે ચાર રનથી વિજય હાંસલ કર્યો હતો. વેંકટેશ ઐયર ઉપર તમામની નજર રહેશે જેણે 528 રન બનાવ્યા છે. હિમાંશુ મંત્રીએ 513 તથા યશ દૂબેએ 510 રન બનાવ્યા છે. બોલિંગમાં કુમાર કાર્તિકેય સિઝનમાં 38 વિકેટ ઝડપી ચૂક્યો છે. સ્પિનર સારાંશ જૈને 27 તથા પેસ બોલર કુલવંત ખેજરોલિયાએ 26 વિકેટ હાંસલ કરી છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ

રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત

Editor By Editor 6 hours ago
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?