- મને ચૂંટણીની ફરજોમાંથી મુકત કરો – જયંત સિંહા
- 10 વર્ષ સુધી ભારતની સેવા કરવાનો લહાવો મળ્યો – જયંત સિન્હા
- આ પહેલા ગૌતમ ગંભીરે લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી
હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ચૂંટણીની જવાબદારીઓમાંથી મુકિતની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે, કે તેઓ મને મારી સીધી ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરે જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. આ પહેલા સાંસદ ગૌતમ ગંભીરે પણ આવું જ ટ્વિટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ડયુટીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ ટ્વીટ કરીને આવી જ માંગ કરી છે.
ટ્વિટ પર કઈ વાતનો ઉલ્લેખ કર્યો
તેમણે કહ્યું કે હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. તેમણે લખ્યું, આ ઉપરાંત, મને PM નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના નેતૃત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી તકોનો આશીર્વાદ મળ્યા છે. તે બધાનો મારો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું.
સાંસદે પોતાનો દાવો છોડી દીધો
અગાઉ, પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેણે લખ્યું કે હું ભવિષ્યમાં ક્રિકેટ કમિટમેન્ટસ પર ફોકસ કરવા માંગુ છું. તેમની પોસ્ટમાં વધુમાં, તેમણે દિલ્હીના લોકોની સેવા કરવા માટે PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો.


