- 14મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું મંદિરનું ઉદ્ઘાટન
- માર્ચના 27 દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
- શનિ-રવિના દિવસોમાં રોજના 50000 ભક્તોએ કર્યા દર્શન
રાજસ્થાનના ગુલાબી સેંડસ્ટોનમાંથી બનાવવામાં આવેલ અબુ ધાબીનું પ્રથમ હિન્દુ મંદિર ગત માસે સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ મંદિરની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર એક મહિનામાં 3.5 લાખથી વધુ ભક્તોએ અહી દર્શન કર્યા છે.
અબુ ધાબીના આ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફેબ્રુઆરીમાં વસંત પંચમીના રોજ કરવામાં આવ્યું હતું અને પહેલી માર્ચના રોજથી પ્રવાસીઓ માટે કુલ્લૂ મૂકવામાં આવ્યું હતું. મંદિરના પ્રવક્તાએ જાનવ્યું છે કે, ‘પહેલા મહિનામાં લગભગ સાડા 3 લાખ ભક્તો દર્શન માટે આવ્યા હતા. તેમાંથી દર વિકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારમાં 50,000 લોકો મુલાકાત લેતા હતા. ઉલ્લેખનીય છે કે મંદિરમાં સોમવારના રોજ ખાનગી પ્રાર્થના કરવામાં આવે છે અને મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે માર્ચ મહિનાના 31 દિવસોમાંથી ફક્ત 27 દિવસોમાં જ લાખો લોકોએ મંદિરના દર્શન કર્યા હતા.
રોજ સાંજે થાય છે સંધ્યા આરતી
પ્રવક્તાએ જણાવ્યું કે મંગળવારથી રવિવાર સુધી રોજ સાંજે સાડા સાત વાગે સ્વામિનારાયણ ઘાટના કિનારે ગંગા આરતી કરવામાં આવે છે. જણાવી દઈએ કે આ ઘાટનું નિર્માણ ભારતથી લાવવામાં આવેલ ગંગા અને યમુનાના પવિત્ર જળથી બનાવવામાં આવ્યો છે.
14મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું મંદિરનું ઉદ્ઘાટન
અબુ ધાબી ખાતેના BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ આયોજિત એક ખાસ કાર્યક્રમમાં 5,000 થી વધુ આમંત્રિત મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિરના સ્થાપત્યમાં UAEના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા, ઊંટની કોતરણી અને રાષ્ટ્રીય પક્ષી ગરુડ પણ છે. આ મંદિરનું નિર્માણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા નજીક અબુ મુરીખા ખાતે કરવામાં આવ્યું છે. UAE સરકાર દ્વારા દાનમાં આપવામાં આવેલ 27 એકર જમીનમાં પર આશરે રૂ. 700 કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.


