વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 7 દિવસનો રામોતસવ ઉજવવાનો પ્રારંભ
અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ પ્રથમ વાર રામ નવમી આવી રહી છે અને સાથોસાથ લોકસભાની ચુંટણી પૂર્વે રાજકોટ રામનામના રંગે રંગાઈ જશે અને સાત દિવસ સુધી રામોત્વસવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામા આવશે જેમાં બે શોભાયાત્રા અને એક પાલખી યાત્રા પણ નિકળશે જેમાં આ વખતે રામ લલ્લાની શોભાયાત્રામાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની બીરાજમાન છે તેવી જ આશરે ૮ થી ૯ ફુટની મુર્તિ મુખ્ય રથમાં બિરાજમાન હશે અને મુર્તિ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ગઈકાલથી નાણાવટી ચોકમાં શ્રી રામ કથાના પ્રારભ સાથે રામોત્વસવ ઉજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
રામનવમીના દિવસે નીકળનારી શોભાયાત્રામાં બે મુખ્ય રથ હશે જેમાં એક રથમાં ભગવાન શ્રી રામ અને બીજા રથમાં રામ દરબારની મૂર્તિ રાખવામાં આવશે જ્યારે બાકીના રથોમાં અલગ અલગ પ્રકારના ફલોટ બનાવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના સુત્રોના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ પ્રથમ વખત રામ નવમી આવી રહી હોય રાજકોટમાં સાત દિવસનો ભવ્ય રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવશે જેમાં શહેરના બે અલગ અલગ ભાગોમાંથી બે શોભાયાત્રા અને એક પાલખી યાત્રા પણ નિકળશે જેમાં ૩૦ થી વધુ નાના મોટા વાહનો પણ જોડાશે જેમાં પાલખી યાત્રા કિશાન પરા ચોક ખાતેથી કાઢવામાં આવશે તેમજ એક પંડાલ પણ ઉભો કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અગ્રણી નીતેશ કથીરીયાના જણાવ્યા પ્રમાણે તા.17-4 ના રોજ રામનવમીના દિવસે રાજકોટના દરેક મંદિરોમાં સાત દિવસ સુધી મહા આરતી અને સત્સંગ ના કાર્યકમો યોજવામાં આવશે આમ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર રામનામના રંગે રંગાઈ જશે.
ઘરે-ઘરે પત્રીકા વિતરણ કરાશે
રાજકોટમાં રામોત્વસવનો ભવ્ય કાર્યક્રમ ઉજવવા માટે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવતી કામગીરી અને આરાધ્ય દેવ ભગવાન રામની સંપુર્ણ વિગત આપતી પત્રિકાનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં 100 થી વધુ શોભાયાત્રા નિકળશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાત દિવસનો ભવ્ય રામોત્વસવનો કાર્યકમ ઉજવવામાં આવનાર છે જેમાં રાજકોટ શહેરની બે શોભાયાત્રા મળીને સૌરાષ્ટ્રમાં કુલ 100 થી વધુ નાની મોટી શોભાયાત્રા કાઢવામાં આવશે.


