- ભાજપને મત આપવા રૂપાલાએ કરી અપીલ
- નાની મોટી વાતને માફ કરજો : રૂપાલા
- 100 ટકા મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી
ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ ફરી અપીલ કરી છે. ભાજપને મત આપવા રૂપાલાએ અપીલ કરી છે. પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે નાની મોટી વાતને માફ કરવી જોઇએ. જેમાં પડધરીના ટંકારામાં રૂપાલાએ સભા સંબોધી અપીલ કરી છે. જેમાં રાજકોટની સભામાં પરશોત્તમ રૂપાલાએ નારા લગાવ્યા હતા. તેમાં જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા.
પડધરી ટંકારા વિસ્તારના કાર્યાલયના ઉદ્ઘાટનની સભામાં નારા લગાવ્યા
પડધરી ટંકારા વિસ્તારના કાર્યાલયના ઉદ્ઘાટનની સભામાં આ નારા લગાવ્યા હતા. જેમાં ક્ષત્રિય સમાજને ફરી પરશોત્તમ રૂપાલાએ અપીલ કરતા જણાવ્યું હતુ કે મોદી સાહેબના હાથ મજબૂત કરવા સમર્થ ભારત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવો જોઇએ. નાની મોટી વાતને દરગુજર કરવા અપીલ કરી હતી. એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જાહેર મંચ પરથી પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે.
રાજકોટ બેઠક પર 100 ટકા મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી
પરશોત્તમ રૂપાલાનો રોડ શો મોરબીના રવાપર રોડ પર હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવ્યો હતો. જે રવાપર ગામે બહુચરાજી માતાજી મંદિર સામે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યાં સભા યોજાઈ હતી. જે સભામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ સભા સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાનના ઉમેદવાર કોણ છે તે કોઈને ખબર નથી તેવો કટાક્ષ કર્યો હતો. રાજકોટ બેઠક પર 100 ટકા મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગકારો પાસે મોટો પરિવાર છે અને તે પોતાના મતદારની સૂચી બનાવે અને મતદાન કરવા અપીલ કરે સાથે જ તેઓએ પોતાના સંબોધનમાં ભાજપ સરકારની યોજનાઓ વર્ણવી હતી અને શિક્ષણની પ્રગતિ વિશે વાત કરી હતી.


