- ઇટલીના PM જ્યોર્જિયા મેલોની સાથે વડાપ્રધાન મોદીએ કરી વાત
- બન્ને દેશના હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર કરી ચર્ચા
- લિબરેશન-ડેની 79મી વર્ષગાંઠ નિમિત્તે ઇટાલીના લોકોને શુભેચ્છાઓ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇટલીના PM જ્યોર્જિયા મેલોની સાથેની તેમની વાતચીતમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. PM નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર ચર્ચા કરી અને વિચારોનું આદાનપ્રદાન કર્યું.
PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇટાલીના લિબરેશન-ડેની 79મી વર્ષગાંઠ નિમિત્તે PM મેલોની અને ઇટાલીના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જૂન 2024માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનારી G7 સમિટના આઉટરીચ સત્રમાં આમંત્રણ આપવા બદલ PM મેલોનીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ ભારતના G20 અધ્યક્ષપદના મહત્વના પરિણામોને આગળ લઈ જવા અને ખાસ કરીને ઈટાલીની અધ્યક્ષતામાં યોજાયેલી G7 સમિટમાં ગ્લોબલ સાઉથને સમર્થન આપવા અંગે ચર્ચા કરી.
PM નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચાર-વિમર્શ કર્યું હતું. PMએ ટ્વિટ કરીને કહ્યું, “વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી અને ઇટાલીને શુભેચ્છાઓ આપી કારણ કે તે આજે લિબરેશન-ડેની ઉજવણી કરે છે. જૂનમાં યોજાનારી G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ ઇટાલિયન PMનો આભાર માન્યો. G7 એ G20 ભારતના પરિણામોને આગળ લઈ જવાની ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.


