- કાશ્મીરમાં કોગ્રેસ સંવિધાન લાગુ ના કર્યુ : PM મોદી
- કોગ્રેસ જમ્મુ કાશ્મીરમાં ફરી 370 લાગુ કરવા ઈચ્છે છે : PM મોદી
- મે ત્રિપલ તલાકનો કાયદો હટાવ્યો : PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઊમટ્યા હતા.આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.જૂનાગઢમાં આયોજીત સભાના માધ્યમથી વડાપ્રધાન જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકને સાંકળી લેશે.
જાણો જૂનાગઢમાં શું બોલ્યા PM મોદી
જય ગિરનારીના નાદ સાથે મોદીએ સભાને સંબોધન કર્યુ,સંતો-મહંતો અને વડીલોને મારા પ્રણામ.બે દિવસ ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગ જોયો,આ પ્રેમ અને આશીર્વાદ મારી મોટી મૂડી છે,અહી જ મે શિક્ષા અને દીક્ષા લીધી,આજે ભારતમાં દુનિયાનો ડંકો વાગે છે,હ્રદય મારૂ ભારત એવો જ એક ભાવ છે.ગયા 10 વર્ષમાં મે કયારેય પાછુ વળીને જોયુ નથી.મારો ભારત મારો પરિવાર એ ભાવ સાથે કામ કરૂ છું.
સૌ સંતોને મારા ખૂબ ખૂબ પ્રણામ : PM મોદી
મારું સૌભાગ્ય છે કે, ગિરનારની ધરતી પર આવું એટલે આટલા બધા સંતોના દર્શન થાય. સૌ સંતોને મારા ખૂબ ખૂબ પ્રણામ
સંસ્કારથી દુનિયામાં ડંકો વાગ્યો : PM મોદી
મને ગર્વ થાય કે જે જમીન પર બેસીને આપ સૌના ચરણોમાં શિક્ષા-દિક્ષા લીધી એ આજે દુનિયાની કસોટીએ પાર ઉતરી રહી છે.
ત્રણ તાલકને લઈ મહત્વનો કાયદો બન્યો : PM મોદી
દેશની મુસ્લિમ દિકરીઓને સન્માન સાથે જીવવાનો હક મળે. કોઈ ત્રણવાર તલાક બોલીને દીકરીની જિંદગી બગડી જાય એટલે મેં ત્રણ તલાક પર કાનૂનીરૂપે પ્રતિબંધ લગાવી દીધો.
દેશની સામે આવીને કહે કોગ્રેસ 370 લાગુ કરવાને લઈ : PM મોદી
હું કોંગ્રેસને ખુલ્લી ચેતવણી આપું છુ, જો તેનો એજન્ડા છે તો હિંમત સાથે દેશ સામે આવીને કહે કે, તેઓ 370 ફરી લાગુ કરશે.
ભગવાન રામને કર્યા યાદ : PM મોદી
ભગવાન રામને હરાવીને કોને જીતાડવા માંગો છો. ભગવાન રામ હારવાનો મતલબ કોણ જીતશે? અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર બન્યુ,કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આવું નિવેદન આપે છે,તે કેટલું યોગ્ય ? કોગ્રેસ હવે પોતાના અસલી રંગમાં આવી ગઈ છે.કોગ્રેસે હંમેશા રામ મંદીરનો વિરોધ કર્યો છે.
કોગ્રેસની રાજનીતિ ખરાબ છે : PM મોદી
આપણે અહીં કહેવત છે ને કે, હથેળીમાં ચાંદ બતાવે છે. હવે એનો હાથ જોઈએ તો ચાંદ જ ચાંદ દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નથી.કોગ્રેસ પાર્ટી તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે.
અનામતને હાથ નહી અડાવી શકાય : PM મોદી
કોંગ્રેસ સંવિધાન બદલીને આખા દેશમાં દલિત, આદિવાસી અને OBCનું અનામત ઘટાડીને વહેંચવાનો સંકલ્પ લઈને બેઠી છે.કોગ્રસ મારી ચેતવણીથી દૂર ભાગી રહી છે.અનામતને કોઈ હાથ નહી અડાડી શકે.
માછીમારોની ચિંતા છે
માછીમારોને ખેડૂતોની માફક કાર્ડ આપ્યા છે.માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું છે.આજે પીવાનુ પાણી લોકોને મળે છે,માછીમારોને તમામ સુવિધાનો લાભ અપાય છે.
સોલાર પેનલનો ઉપયોગ કરો વધારે : PM મોદી
મારુ સપનું છે તમારું વીજળીનું બિલ ઝીરો કરવાનું તમારી ગાડીનું બિલ ઝીરો કરવાનું. સોલાર પેનલ મૂકો સરકાર પૈસા આપશે.PM સૂર્યઘર યોજના મારૂ સ્વપ્નું છે.હવે ઈલેકટ્રીક વ્હીકલ આવવાના છે.
PM મોદીએ આણંદમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા
ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબો હતી. આ તકે મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, INDIA ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે, INDI ગઠબંધન કહે છે મુસ્લિમો વોટ જેહાદ કરો, હવે તમે સમજો વિપક્ષનો ઈરાદો કેટલો ખતરનાક છે.


