- અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચશે
- જગન્નાથ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાનો મેળવશે તાગ
- જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી રહશે હાજર
અમદાવાદની ઓળખ સમાન જગન્નાથ રથયાત્રા માટે મંદિર, તંત્ર અને પોલીસ તૈયારીઓમાં લાગી ગયા છે. મંદિર અને તંત્ર દ્વારા કોઇ અવ્યવસ્થા ઉભી થાય નહિ તેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તો પોલીસ દ્વારા સુરક્ષા માટે કામગીરૂ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી રથયાત્રાની સુરક્ષાને લઈ મેળવશે તાગ.
પોલીસનુ પેટ્રોલિંગ સતત રહેશે
રથયાત્રાના રૂટ પર ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ કરશે જેને માટે ઘોડે સવાર પોલીસના 20 ઘોડા તૈયાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મંદિરથી મોસાળ સુધી ઘોડેસવાર પોલીસ રોડ પર જોવા મળશે. ટેકનોસેવી પોલીસે રથયાત્રા રૂટને થીડી મેપીંગથી સજ્જ કરી દીધો છે. એટલે રોડ પરની નાનામાં નાની વિગતો પણ પોલીસના હાથવગી છે. હાલ પોલીસ રૂટ પર સતત અને સખત પેટ્રોલિંગ કરી રહી છે.
રથયાત્રા રૂટ પર પોલીસ એલર્ટ
રથયાત્રા જે પોલીસ મથકોની હદમાંથી પસાર થાય છે, તે તમામ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સિનિયર અધિકારીઓ પણ પોતાના તાબાના અધિકારીઓ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે. બાઇક રેલી, નાઇટ પેટ્રોલિંગ અને કોન્વોય કાઢવામામાં આવી રહ્યા છે.
રથયાત્રાના રૂટનું થ્રીડી મેપીંગ
પોલીસે રથયાત્રાના રૂટનું થ્રીડી મેપીંગ કરી લીધું છે એટલે સમગ્ર રૂટ પર રોડ કેટલા પહોળા છે. રોડ પર ક્યાં કયુ મંદિર આવેલું છે. પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી ઉપરાંત દવાખાનું કે પોલીસ મિત્ર હોય તેવા લોકના ઘરની વિગતોથી પણ આ ઇમેજ સજ્જ છે. થ્રીડી મેપીંગને લઇને તમામ અધિકારીઓ સમગ્ર વિસ્તારથી માહિતગાર થઇ જતા હોય છે અને તેને કંટ્રોલરૂમથી એટેચ કરી દેવામાં આવતા રથયાત્રા સમયે સ્થળ પરની રજેરજની વિગતો પોલીસ મેળવી શકતી હોય છે.


