કાલથી આત્મીય યુનિ ખાતે ભારત ભારતીનું ત્રી દિવસીય અધિવેશન
૨૨ રાજ્યના ૧૮૦ પ્રતિનિધિઓ ભગ લેશે
ભારત ભારતી દ્વારા 28 થી 30 જુન દરમ્યાન રાજકોટમાં તૃતીય રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી રર રાજયોના ૧૮૦ પ્રતિનિધિઓ ભાગ લેશે.
સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદર્શ ધ્યેય એક ભારત શ્રેષ્ઠ ભારતના સિદ્ધાંત પર રચાયેલી ભારત ભારતી સંસ્થાના ત્રણ દિવસના રાષ્ટ્રીય અધિવેશન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોઈપણ શહેરની અંદર વસતા અન્ય વિવિધ પ્રાંતના લોકોની રાષ્ટ્રવાદ ભાવના વધુ પ્રબળ બનાવવા અને એક મેક વચ્ચે બંધુત્વની પરિવારની ભાવના પ્રબળ બનાવવાના ધ્યેયને વરેલી ભારત ભારતી એ એક અનોખી વિચારયાત્રા છે.
રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરો મહાનગરોમાં કાર્યરત આ અનોખા સંગઠનની વિશેષતા એ છે કે દરેક પ્રાંતના લોકોને તે ગમે ત્યાં વસતા હોય પણ પોતિકા પણું લાગે તેવો સરસ મજાની લાગણી સભર વ્યવહાર પ્રચલિત બને અને એકબીજાની પરંપરા એકબીજાના તહેવારો એકબીજાના ઉત્સવો અને એકબીજાના પારિવારિક પ્રસંગો માં સૌ સાથે મળી કામ કરે તે માટે ભારત ભારતી કાર્યરત છે.
ભારત ભારતીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિનય પત્રાળે જણાવ્યું છે કે આપણી સંસ્કૃતિ વિવિધતા સભર તો છે જ આપણા વ્યવહારમાં વિવિધ ભાષાઓ તો છે આપણા આપણો આહાર અનેક વિવિધતાથી ભરેલો છે.
સુરતમાં વસતા વિવિધ પ્રાંતોના લોકો પોતપોતાના પ્રાંતના ઉત્સવો પ્રસંગો ઉજવે રાખે છે આવું ગુજરાત જ નહીં ભારતના દરેક રાજ્યના દરેક શહેરોમાં આવું થતું હોય છે. આ ઉજવણી એકલદોકલ હોય છે અને તેથી તેમાં સૌ ને ભારતીયતાનો વિશેષ ભાવ જાગે તે માટે 2007માં સુરતમાં ભારત ભારતી ના બીજ રોપાયા. ભારત ભારતીના વિવિધ કાર્યક્રમોમાંના એક કાર્યક્રમમાં હાલના પ્રધાનમંત્રી અને તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ નવી દ્રષ્ટિ વાળી વિચારધારા ને બિરદાવી હતી અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે સૂત્ર આજે સૌના તન મનમાં છે તે સૂત્રને સાર્થક કરવા સૌને હાકલ કરી હતી 2007 થી શરૂ કરીને 2024 સુધી સુરતમાંથી શરૂ થયેલી એક નાનકડીસરવાણી જેવી યાત્રા આજે દેશના ૨૨ થી વધુ પ્રાંતોમાં અને લગભગ એટલા લગભગ 50 એક મોટા મોટા શહેરોમાં કાર્યરત બની છે.
રાજકોટમાં 2022 માં ભારત ભારતી શ્રી હિતેષ ભાઈ પંડ્યા અને શ્રી કૌશિકભાઈ ટાંકના પ્રયાસથી શરૂ થઇ આજે રાજકોટ માં વસતા વિવિધ પ્રદેશોના લોકો જેમકે હિન્દી સમાજ કેરળ સમાજ બંગાળી સમાજ તમિલ સમાજ કન્નડ સમાજ મારવાડી સમાજ બિહારી સમાજ કાશ્મીરી ઉડિયા સમાજ મહારાષ્ટ્ર સમાજ હરિયાણવી સમાજ વગેરેના લોકો અહીં વર્ષોથી વસીને રહ્યા છે અને વારંવાર ભારતીના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો કરતા રહ્યા છે.
રાજકોટમાં 28,29,30 જુન શુક્ર-શનિ-રવિ ના રોજ આત્મીય યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયેલ છે. આ અધિવેશન ઉદ્દઘાટન ત્યાગ વલ્લભ સ્વામી કરશે. આ પ્રસંગે બાનલેબના મૌલેશ ઉકાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો.કમલેશ જોશીપૂરા, જયેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.
રાજકોટના કેરળ સમાજના અગ્રણી અને અયપ્પા ટ્રસ્ટના મંદિરના ટ્રસ્ટી રમેશ મેનન (રાજકોટ ભારત ભારતીના પ્રમુખ) હિન્દી સમાજના અગ્રણી અનિલ ગુપ્તા (બિહાર વાસી) (મંત્રી) રાજકોટ ભાજપના ભાષાભાષી સેલના મંત્રી આનંદસિંહ (બનારસ) (કોષાધ્યક્ષ) બંગાળી એસોસિયેશનના શ્રી આતાનું ચક્રવતી બિહારી સમાજના ધનંજયસિંહ રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્થાના સંચાલક વિદ્યાનિકેતનના વિમલ દેવ કપૂર લાખાજી રાજરોડ એસોસિએશનના અગ્રણી અને જૈન શ્રેષ્ઠી મહેશ મહેતા આકાશવાણીના નિવૃત્ત અધિકારી બીપીન શર્મા (રાજસ્થાન) ભાજપના નેતા નરેન્દ્રસિંહ ઠાકુર, સામાજિક મહિલા અગ્રણી ડો. મૃણાલિની મ્રાષોતા, સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડો. મોનાલી પંઢારે(મહારાષ્ટ્ર), ફિઝીઓથેરાપીસ્ટ ડો. અસીમ ચેટર્જી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
ભારત ભારતી રાષ્ટ્રીય અધિવેશનના મીડિયા ઈન્ચાર્જ સતીશ જોશી તેમજ દુરદર્શનના અતુલ શાહ સુરેશભાઈ કાશીયાણી પ્રસાર પ્રચાર સંભાળી રહ્યા છે. વધુ માહિતી માટે અવનિબેન બગડાઇ, રીટાબેન લખલાણી, હિતેષભાઇ પંડયા, વિનયભાઇ પત્રાળે, આનંદસિંહ ૯૮ર૪૮ પ૪૯૮૪, અનિલ ગુપ્તા ૭૯૮૪૧૪૮૮૦૪, અતુલ શાહનો સંપર્ક કરવો.


