- અમદવાદથી મુંબઈની 4 ફ્લાઈટો રદ કરવાની ફરજ પડી
- એર ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઈટોને હવામાં ચક્કર લગાવવા પડ્યા
- મુંબઈમાં ભારે પવન ફૂંકાવવાની આગાહીને પગલે આજે પણ હવાઈ મુસાફરીને થઈ શકે છે અસર
મુંબઈમાં મુશળધાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયુ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે હવાઈ મુસાફરી અને રેલવે મુસાફરી પણ ખોરવાઈ ગઈ છે, ત્યારે અમદવાદથી મુંબઈની 4 ફ્લાઈટો રદ્દ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદથી મુંબઈ જતી 4 ફલાઈટ રદ કરવામાં આવી
મુંબઈમાં ભારે વરસાદને પગલે અમદાવાદથી મુંબઈ જતી 4 ફલાઈટ રદ કરવામાં આવી અને અન્ય કેટલીક ફ્લાઈટ 1થી 8 કલાક સુધી ડિલે કરવામાં આવી. જેના કારણે મુસાફરોને ભાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ફ્લાઈટ રદ થતાં કેટલાક મુસાફરોને એરપોર્ટથી ઘરે પરત ફરવુ પડ્યુ.
ભારે પવન ફૂંકાવવાની આગાહી, આજે પણ હવાઈ મુસાફરીને અસર થઈ શકે
ત્યારે અનેક ફ્લાઈટનોને એર ક્લિયરન્સ ના મળતા હવામાં ચક્કર લગાવવા પડ્યા અને કલાકો સુધી ચક્કર લગાવ્યા બાદ ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પહોંચી. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ભારે પવન ફૂંકાવવાની આગાહીને પગલે આજે પણ હવાઈ મુસાફરીને અસર થઈ શકે છે.


