- બે IAS અધિકારીઓએ ફરજમાં બેદરકારી દાખવી, પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો : હાઈકોર્ટનો ‘અભિપ્રાય’
- ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટના પગલે GADને હુકમ, સરકારને કહ્યું, આવા કૃત્યનું પુનરાવર્તન થવું ન જોઈએ
- હરણી લેકમાં બોટ પલટતા 12 વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત કુલ 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા
હરણી બોટ દુર્ઘટનામાં સુઓ મોટો જાહેર હિતની અરજી પરના પોતાના હુકમમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે એવું ચોંકાવનારું અવલોકન કર્યું છે.જે હરણી તળાવમાં બોટ દુર્ઘટના બની તે તળાવના પુનરોદ્ધારનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે તદ્દન ગેરલાયક ઠેરવાયેલા કોટિયા પ્રોજેક્ટને આ કોન્ટ્રાક્ટ પીપીપી ધોરણે આપવામાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરો (એચ.એસ. પટેલ અને વિનોદ રાવ)ની સ્પષ્ટ ભૂમિકા રહી હોવાનું ફેક્ટ ફાઈન્ડીંગ કમિટિના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.
આથી અમારો એવો કામચલાઉ અભિપ્રાય (ટેન્ટેટીવ ઓપિનિયન) છે કે, આ બંને અધિકારીઓએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી છે અને તેમને મળેલી સત્તાનો દુરૂપયોગ કર્યો છે. આથી સામાન્ય વહીવટ વિભાગે આ બંને અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં ભરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 18મી જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવમાં સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની બોટ પલટી ખાઈ જતાં 12 વિદ્યાર્થી અને બે શિક્ષકો સહિત 14નાં મૃત્યુ થયા હતા. જે અંગે હાઈકોર્ટે સુઓ મોટો જાહેર હિતની અરજી દાખલ કરી હતી.હરણી તળાવ દુર્ઘટના પરની સુઓમોટુ પીઆઈએલ પરના તેના વચગાળાના આદેશમાં, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે પોતાના હુકમમાં સરકારની તથ્ય-શોધ સમિતિના અહેવાલને વિગતવાર રજૂ કર્યો અને કહ્યું કે કોન્ટ્રાક્ટ આપવામાં સ્પષ્ટ ગેરકાયદેસરતા હતી. તેમાં બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો – એચએસ પટેલ અને વિનોદ રાવ – દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને ખાસ નોંધવામાં આવી હતી – પીપીપી મોડેલ પર કોટિયા પ્રોજેક્ટ્સને તળાવના રિડેવલપમેન્ટના કોન્ટ્રાક્ટની પસંદગી અને એનાયત કરવામાં આવી હતી અને અભિપ્રાય આપ્યો હતો કે પેઢી કામ માટે લાયક નથી. ઓર્ડરમાં લખવામાં આવ્યું છે કે, અમારા કામચલાઉ અભિપ્રાયમાં, સંબંધિત સમયે પોસ્ટ કરાયેલા બંને મ્યુનિસિપલ કમિશનરો ફ્રજમાં બેદરકારી અને તેમના પદના દુરુપયોગ માટે દોષિત છે. કોઈપણ સંજોગોમાં, M/s. કોટિયા પ્રોજેક્ટ્સ પ્રક્રિયામાં લાયક બિડર હોવાનું કહી શકાય નહીં અને એટલે તેની પસંદગીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નહોતો.
ફેક્ટ ફઈન્ડિંગ રિપોર્ટ પર, રાજ્ય સરકારે અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969 અને અખિલ ભારતીય સેવાઓની જોગવાઈઓ હેઠળ વડોદરાના બંને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનરો સામે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા શિસ્તભંગના પગલાં દરખાસ્ત કરી હતી. આનું કારણ એ છે કે એક પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ હાલ સરકારી સેવામાં છે, જ્યારે પટેલ 23 જૂન, 2016 ના રોજ નિવૃત્ત થયા હતા.
શિસ્તભંગની તપાસ હાથ ધરવાની રાજ્ય સરકારની દરખાસ્ત પર, HCએ નિર્દેશ આપ્યો, આ શિસ્તભંગની કાર્યવાહી, કાયદાની યોગ્ય પ્રક્રિયા અપનાવીને તેના તાર્કિક નિષ્કર્ષ પર લાવવામાં આવશે, અને તેનું પરિણામ કોર્ટ સમક્ષ લાવવામાં આવશે.
સમિતિના તારણને ટાંકીને, કોર્ટે કહ્યું કે પટેલે કોટિયા પ્રોજેક્ટની બિડને વિવેચનાત્મક રીતે જોવી જોઈતી હતી, જે EOIના પ્રથમ રાઉન્ડમાં ગેરલાયક ઠર્યા હતા પરંતુ બીજા રાઉન્ડમાં સફ્ળ થયા હતા. પટેલ બંને રાઉન્ડ દરમિયાન કમિશનર હતા. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયાની સમીક્ષા થવી જોઈએ, જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં સંપૂર્ણ ગેરકાયદેસરતાનું પ્રતિબિંબ છે. રાવ દ્વારા રજૂ કરાયેલ કોટિયા પ્રોજેક્ટની દરખાસ્ત ગંભીર ગેરકાયદેસરતા છે. સપ્ટેમ્બર 2016માં VMCની સ્ટેન્ડિંગ કમિટીની દરખાસ્તની મંજૂરી પણ પ્રશ્નો ઉભા થયા છે. તેમણે શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને સ્ટેન્ડિંગ કમિટિ અને કોર્પોરેશનની જનરલ બોડીના કામકાજનો ગંભીર પરિપ્રેક્ષ્ય લેવાનું કહ્યું, અને વરિષ્ઠ અમલદારને સૂચન કર્યું, કે આ પ્રકારના કૃત્યનું પુનરાવર્તન થવું ન જોઈએ.
અદાલતે તપાસ અહેવાલને હળવો કરવાના સમિતિના પ્રયત્નો માટે મુખ્ય સચિવની ટીકા કરી હતી અને કહ્યુંહતું કે સચિવે *આવી જાહેર સંસ્થાઓના કામ કરવાની રીત વિશે પોતાના અભિપ્રાય પર ફરીથી જોવા માટે પોતાનો અભિગમ બદલવાની જરૂર છે. કોર્ટે ફેક્ટ ફઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં આ અવલોકનનો સખત અપવાદ લીધો છે અને કોર્ટને એવું લાગતું હતું કે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી કોન્ટ્રાક્ટ આપવાના મામલે કરવામાં આવેલી ગેરકાયદેસરતાને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. કોર્ટે આ મામલે અપનાવાયેલી જાહેરાત પ્રક્રિયા માટે સત્તાવાળાઓને ખેચ્યા હતા અને કહ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર કે જેમણે પીપીપી મોડ પર વિવિધ તળાવો અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે પગલાં લેવા માટે પોતાને અધિકૃતકર્યા છે તે આ બાબતમાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન ન કરવા બદલ દોષી છે. પીપીપી મોડ પર કોન્ટ્રાક્ટની મંજૂરી આપી હતી.


