By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    38 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    2 hours ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    3 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરના વેપારી પરિવારના ચાર સભ્યોનો ધારાગઢમાં ઝેરી દવા પી સામુહિક આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતજામનગરન્યૂઝ

જામનગરના વેપારી પરિવારના ચાર સભ્યોનો ધારાગઢમાં ઝેરી દવા પી સામુહિક આપઘાત

agragujaratnews
Last updated: 2024/07/11 at 7:31 PM
11 months ago
Share
જામનગરના વેપારી પરિવારના ચાર સભ્યોનો ધારાગઢમાં ઝેરી દવા પી સામુહિક આપઘાત
SHARE

બ્રાસપાર્ટની ભઠ્ઠી ધરાવતા વેપારીએ પત્ની, બે સંતાનો સાથે ભરેલા પગલાથી ભારે અરેરાટી : આપઘાતનું કારણ અકબંધ

જામનગરમાં બ્રાસ પાર્ટસની ભઠ્ઠી ધરાવતા વેપારીએ પત્ની અને બે સંતાનો સાથે ભાણવડના ધારાગઢ ખાતે દોડી જઇ જંગલ-ઝાડી વિસ્તારમાં ચારેય સભ્યોએ એકી સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લેતા ભારે અરેરાટી મચી જવા પામી છે. ઘટના બાદ સ્થળ પર દોડી આવેલી પોલીસે મૃતદેહો હોસ્પિટલે ખસેડયા બાદ સામુહિક આપઘાત પાછળનું કારણ શોધવા કવાયત આરંભી છે. હાલ એવું મનાય છે કે પોલીસને સ્થળ પરથી એક બેગ મળી આવી છે અને તેમાં સ્યુસાઇડ નોટ પણ હાથ લાગી હોય તેવું મનાય રહ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ-1માં રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42)ને જામનગરમાં પિત્તળની ભઠ્ઠી છે. તે કોઈપણ સમયે પત્ની લીલુબેન (ઉ.વ. 42), પુત્ર જિજ્ઞોશ (ઉ.વ. 20) અને પુત્રી કિંજલ (ઉ.વ. 18) સાથે બે ટુ વ્હીલર પર સંભવતઃ જામનગરથી નીકળી લાલપુર થઈ ભાણવડ નજીક આવેલા ધારાગઢ ગામે પહોંચ્યા હતા.

જયાં રોડથી અંદરની સાઈડ 500 મીટરના અંતરે રેલ્વે ફાટક નજીક કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં ચારેયના સ્થળ પર મોત નિપજયા હતા. ત્યાંથી પસાર થતાં રાહદારીએ તેમને બેભાન હાલતમાં જોતાં ભાણવડ પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઈ માણસુરભાઈ સવસેટા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. તે વખતે સ્થળ પરથી એક બાઈક અને એકટીવા મળી આવ્યું હતું. 

પરિવારના ચારેય સભ્યોને 108માં ભાણવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પરથી મૃતકોના 3 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાંથી એક મોબાઈલમાં સ્ક્રીન લોક ન હોવાથી તેના આધારે પોલીસે મૃતકોના સંબંધીઓને કોલ કરી ઓળખ મેળવી હતી. 

સ્થળ નજીકથી કપાસમાં છાંટવાની ઝેરી દવા મળી આવી હતી. જેના આધારે તે પી આત્મહત્યા કરી લીધાના તારણ પર પોલીસ પહોંચી હતી. જોકે પરિવારના ચારેય સભ્યોએ કયા કારણથી આ અંતિમ પગલું ભર્યું તે વિશે પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ માહિતી મળી નથી. પરંતુ આપઘાત પાછળનું કારણ ગંભીર હશે તેવું પોલીસ માની રહી છે. ચોકકસ કારણ જાણવા માટે પોલીસે મોબાઈલના આધારે તપાસ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનોની પણ પોલીસ પુછપરછ કરશે. 

ચારેય મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવવા પોલીસે તજવીજ શરૂ કરી છે. પરિવારના ચારેય સભ્યો ખરેખર જામનગરથી કયારે નીકળ્યા, કયારે ધારાગઢ પહોંચી આ પગલું ભર્યું તે વિશે પણ પોલીસને કોઈ ચોકકસ માહિતી મળી નથી.  આપઘાત કરનાર પરિવારના મોભી અશોકભાઈ મૂળ જામનગરના મોડપર ગામના વતની છે. જયારે તેના પત્ની લાલપુરના નાંદુરી ગામના વતની છે તેમ પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'
આંતરરાષ્ટ્રીય

Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 4 days ago
IND vs ENG Test Series પહેલા ઇંગ્લેન્ડને ઝટકો, આ સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત
રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા
Indiaના ખેલાડીએ સાથી ક્રિકેટર સાથે કર્યો દગો! શતક પહેલા ડિક્લેર કરી ઈનિંગ
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?