- PMOના નામે ડોક્ટરને રૂ.16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા
- ચેન્નઈની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટરને આપી હતી ધમકી
- ઈન્દોરમાં હોસ્પિટલ બનાવવાના નામે પડાવ્યા રૂ.16 કરોડ
વડોદરાના મયંક તિવારી સામે CBIએ વધુ એક ગુનો નોંધ્યો છે. જેમાં મયંક તિવારી PMOના ઓફિસર તરીકે ઓળખણ આપતો હતો. PMOના નામે ડોક્ટરને રૂપિયા 16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા હતા. તેમજ ચેન્નઈની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટરને ધમકી આપી હતી.
ઈન્દોરમાં હોસ્પિટલ બનાવવાના નામે રૂપિયા 16 કરોડ પડાવ્યા
ઈન્દોરમાં હોસ્પિટલ બનાવવાના નામે રૂપિયા 16 કરોડ પડાવ્યા છે. જેમાં હોસ્પિટલના કરાર રદ થતા ડોક્ટરે રોકાણ પરત માગતા ધમકી આપી હતી. અગાઉ પારુલ યુનિ.માં PMO અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો. શંકા જતા વાઘોડિયા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરી હતી. પીએમઓના ઓફિસરનો દાવો કરતો વધુ એક ગુજરાતી ઝડપાયો છે. જેમાં વડોદરાના મયંક તિવારી સામે પીએમઓની સૂચનાથી સીબીઆઇએ ગુનો નોધ્યો છે.
ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો
ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો છે. જેમાં PMOના ઓફિસરનો દાવો કરતો વધુ એક ગુજરાતી વડોદરામાં ફૂટી નીકળ્યો હતો. તેમાં PMOના નામે આંખના ડૉક્ટરને રૂપિયા 16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા હતા. તથા PMOની સૂચનાથી સીબીઆઈએ વડોદરાના મયંક તિવારી સામે ગુનો નોંધ્યો હતો. યુનિવર્સિટીના સંચાલકોને PMO અધિકારીના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી હતી. PMOના ડાયરેકટર તરીકે ઓળખાણ આપીને ધમકી આપનાર વડોદરાના મયંક પશુરામ તિવારીની સામે દિલ્હી સીબીઆઈએ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલને ઈન્દોરમાં આંખની હોસ્પિટલ ચાલુ કરવા માટે રોકાણ કરેલા 16.43 કરોડ રૂપિયા પરત નહીં આપવા માટે વડોદરાના મયંક તિવારીએ પીએમઓના નામે ધમકીઓ આપી હતી. જે અંગે દીલ્હી સીબીઆઈએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.
ડો. અગ્રવાલને આંખની હોસ્પિટલનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યુ
ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલો આવેલ છે. ડો. અગ્રવાલને આંખની હોસ્પિટલનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યુ હતુ. મધ્યપ્રદેશના ઈન્દોરમાં વિનાયક નેત્રાલય ચલાવતા ડો. પ્રણયકુમાર સીંગ અને ડો. સોનું વર્મા સામે આઈ હોસ્પિટલ બનાવવા માટે નક્કી કરીને ડો. અગ્રવાલએ રૂ.16.43 કરોડ ચુકવીને કરાર કર્યા હતા. આ પછી ઈન્દોરની હોસ્પિટલમાં આવતા દર્દીઓને ડો. પ્રણયકુમાર સીંગ અને ડો. સોનું વર્મા અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતા હતા. જેની જાણ ડો. અગ્રવાલને થતા તેમને ઈન્દોરની હોસ્પિટલના કરાર રદ કર્યા હતા અને તેમને રોકાણ કરેલા નાણાં પરત માગ્યા હતા. જો ડો.પ્રણયકુમાર અને ડો. સોનું વર્માએ આપવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ ડો. પ્રણયકુમાર અને ડો. સોનું વર્માએ ભેગા મળીને નાણાં આપવાની જગ્યાએ ડો. અગ્રવાલને પીએમઓ ઓફિસના નામે ધમકીઓ આપીને નાણાં ભૂલી જવાનું કહેવામાં આવ્યુ હતુ. ડો. અગ્રવાલને ફોન કરનાર મંયક તિવારીએ પીએમઓ ઓફિસમાં ફરજ બજાવતો હોવાનું પણ કર્યુ હતુ.