- ઝાલાવાડમાં વ્યાજખોરીને ડામવા પોલીસતંત્ર હરકતમાં
- દર મહિને એક પરિવાર અન્ય કોઈ ને કોઈ બહાને લીંબડી છોડી જઇ રહ્યા છે
- શ્રમજીવી લોકો ને બચાવવા રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધર્યું છે
લીંબડી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં અધધ વ્યાજ વટાવ ના કારણે અનેક લોકો હિજરત કરી રહ્યા છે. દર મહિને એક પરિવાર અન્ય કોઈ ને કોઈ બહાને લીંબડી છોડી જઇ રહ્યા છે.
ત્યારે બે ખોફ્ બની વ્યાજખોરોના ગાળિયામાં ફ્સાઈ પાયમાલ બનતા સામાન્ય અને શ્રમજીવી લોકો ને બચાવવા રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત લીંબડી પોલીસ વિભાગીય ડીવિઝન કચેરી દ્વારા વ્યાજખોરી ને ડામવા લોકોમાં જાગૃતિ લાવવા હેતુ થી પથસંચલન રેલી યોજાઇ હતી.
આ રેલીમાં લીંબડી પોલીસ ઉપરાંત પાણશિણા, ચુડા, સાયલા, ધજાળા ચોટીલા થાન સહિત ના પોલીસ અધિકારીઓ સાથોસાથ કર્મચારીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. લીંબડી ડીવાયએસપી વી એમ રબારી ની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં સીપીઆઈ એચ જે પુવાર, સીપીઆઈ વલવી, પીએસઆઇ જી એમ મહેશ્વરી, પીએસઆઇ એચ એચ જાડેજા સહિત પોલીસ સ્ટાફ્ તથા શૈક્ષણિક સંસ્થાના બાળકો જોડાયા હતા અને વ્યાજ ખોરી બંધ કરો ના સુત્રચારો સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.


