- કચ્છ જિલ્લામાં ખાતરની અછત સર્જાઇ છે
- ખેડૂતોના પાકમાં નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે
- વીજળીના પ્રશ્નોના કારણે પણ ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતો વાવણીની પ્રક્રિયામાં જોડાયા છે. પરંતુ જિલ્લામાં રાસાયણિક ખાતર અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને યુરિયા અને ડીએપી જેવા ખાતર મળતા નથી જેના કારણે પાકમાં નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે.
કચ્છ જિલ્લામાં ખાતરની અછત સર્જાઇ છે
કચ્છ જિલ્લામાં ખાતરની અછત સર્જાય છે જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં સારો વરસાદ પડતાં વિવિધ પાકોનું વાવેતર કર્યા બાદ ખાતરની માંગ વધી છે. તેવા સમયે જિલ્લામાં ખાતરની અછત ઉભી થતાં ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે. યુરિયા અને ડીએપી ખાતરની અછત સર્જાય છે જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતો જ્યારે રાસાયણિક ખાતર ખરીદવામાં માટે જાય છે ત્યારે ખેડૂતોને જરૂર ન હોય તેવા ખાતર અને દવા ફરિજિયાત લેવા માટે આગ્રહ કરવામાં જેના કારણે ખેડૂતો લુટાય રહ્યા છે.
ખેડૂતોના પાકમાં નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે
ખેડૂતોનું કહેવું છે કે સરકારનો કોઈ પરિપત્ર નહીં હોવા છતાં પણ ખેડૂતોને યુરિયા અને ડીએપી ખાતર સાથે લિક્વિડ ખાતરની બોટલ, દાણાદાર ખાતરો ફરિજિયાત પકડાવી દેવામાં આવે છે. રાસાયણિક ખાતર વિક્રેતા અને દવાઓ બનાવતી કંપનીની મિલી ભગતથી ખેડૂતોને સાથે ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે. સાથેજ વીજળીના પ્રશ્નોના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ રૂપિયા ભર્યા છતાં પણ પીજીવીસીએલ દ્વારા નવા વીજ કનેક્શન આપવામાં આવતા નથી. સમયસર વીજળી અને ખાતર નહીં મળવાના કારણે ખેડૂતોના પાકમાં નુકશાન થવાની ભીતિ સતાવી રહી છે.


