ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા કતદાન કેમ્પ યોજાયો
રકતદાન દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભકત ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનો તા. ૨૩ જૂનના રોજ બલિદાન દિવસથી તા. ૬ જુલાઈ જન્મજયંતી સ્મૃતિ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરી ઉજવવામાં આવે છે. આ અંતર્ગત ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટની ચારેય વિધાનસભામાં મેગા રકતદાન કેમ્પનું આયોજન શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લીંબાશીયા, મહામંત્રી જયકીશન ઝાલા, હિમાંશુ રાજયગુરૂ ની આગેવાની અને ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી જન્મ જયંતી પખવાડીયાના અંતર્ગત રકતદાન કેમ્પના રાજકોટ મહાનગરના સંયોજક યુવા મોરચાના મંત્રી જય બોરીયા, સહસંયોજક યુવા મોરચાના કાર્યાલય મંત્રી રાહુલ રાઠોડ અને શહેર યુવા મોરચા મંત્રી મોહિત શિયાળની જવાબદારી હેઠળ વિધાનસભા-૬૮ માં ભોજલરામ કોમ્યુનીટી હોલ, સંતકબીર રોડ ખાતે રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડ, મેયર નેહલભાઈ શુકલ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો, યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા આ રકતદાન કેમ્પના ઈન્ચાર્જ શહેર યુવા મોરચાના નાગજી રાદડીયાએ જહેમત ઉઠાવી હતી.


