- એજેએક્સ નામના સી-130જે વિમાનથી આવ્યા ભારત
- ભારતના સુરક્ષા અધિકારીઓએ કરી મીટિંગ
- વિમાનનું હિંડન એરબેઝ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરાવાયું
બાંગ્લાદેશમાં શેખ હસીનાને લઈને રાજકારણ ગરમાયું છે અને તે દેશ છોડીને ચાલ્યા ગયા છે. આ સમયે તેઓ ભારતમાં છે. સુરક્ષા એજન્સીઓએ શેખ હસીનાને સુરક્ષિત રીતે ભારતમાં એન્ટ્રી કરાવી છે. તે એજેએક્સ નામના સી-130જે વિમાનથી ભારત આવ્યા અને બપોરે 3 વાગે તે ભારતીય સીમાની નજીક જોવા મળ્યા હતા.
2 રાફેલ વિમાન એલર્ટ પર
ભારતીય રડાર એ વખતે એક્ટિવ હતા અને તેઓએ વિમાન પર નજર રાખી કેમકે તે ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યું હતું અને કોલકત્તા એરસ્પેસથી નીકળ્યું હતું. વિમાન પેકેજને વિશે જાણકાર ભારતીય વાયુસેનાના કર્મીઓએ કોઈ પણ આપાત સ્થિતિમાં મદદ માટે 2 રાફેલ લડાકૂ વિમાનને એક્ટિવ કરી રાખ્યા હતા.
ભારતના સુરક્ષા અધિકારીઓએ કરી મીટિંગ
ભારતે બાંગ્લાદેશની સીમાથી 10 કિમી દૂરથી AJAX1431 કોલ સાઈનના C-130 વિમાનને ફોલો કરવાનું શરૂ કર્યું. આ વિમાન દિલ્હી તરફ જઈ રહ્યું હતું. બાંગ્લાદેશ વાયુસેનાનું વિમાન 4 વાગે પટના થઈને યૂપી- બિહાર બોર્ડરની પાસે પહોંચ્યું, આ સાથે રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ખુફિયા એજન્સીઓના પ્રમુખ અને ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ જેઓ મેથ્યૂ સહિત દેશના ટોપ સિક્યોરિટી ઓફિસર સ્થિતિની તપાસ માટે એક ટોપ લેવલ મીટિંગમાં સામેલ થયા.
શેખ હસીના અને અજીત ડોભાલની થઈ મુલાકાત
વિમાનને લગભગ 5.45 વાગે હિંડન એરબેસ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરાવાયું અને બાંગ્લાદેશી પીએમ સાથે એનએસએ ડોભાલે મુલાકાત કરી. ચર્ચા સમયે તેઓએ બાંગ્લાદેશની હાલની સ્થિતિની સાથે સાથે આવનારા સમયમાં ઉઠાવાયેલા પગલાને લઈને ચર્ચા કરી. આ પછી એનએસએના મુદ્દે સુરક્ષા મુદ્દે કેબિનેટ સમિતિને જાણકારી આપવા માટે એરબેસથી બહાર નીકળ્યા. ટોપ લેવલ મીટિંગમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ જયશંકર અને વિત્તમંત્રી એન સીતારમણ સામેલ થયા.


