યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેરને મળવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે. આ બેઠકમાં ભારત ડેર સમક્ષ કેટલાક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. જે યુક્રેન અને રશિયા યુદ્ધ સાથે સંબંધિત છે. ભારત યુરોપિયન યુનિયનના યુક્રેનમાં સૈનિકો મોકલવાના નિર્ણય સાથે સહમત નથી. ભારત આવા કોઈ પ્રસ્તાવના સમર્થનમાં પણ નથી. ઉપરાંત, ભારત યુક્રેનમાં કોઈ શાંતિ રક્ષા દળ મોકલશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી ડેર સમક્ષ આ બાબતો સ્પષ્ટ કરશે.
વિદેશ મંત્રાલયે બ્લુપ્રિન્ટ કરી તૈયાર
રશિયા સાથે શાંતિ વચ્ચે યુરોપિયન યુનિયન યુક્રેનમાં સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે નિર્ણય લીધો છે કે તે યુક્રેનમાં પોતાની સેના નહીં મોકલે. પીએમ મોદી યુરોપિયન યુનિયનના વડાને આ વાત સ્પષ્ટ કરશે. યુરોપિયન યુનિયને યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. યુરોપિયન યુનિયન ઇચ્છે છે કે ભારત પણ રશિયા સામે કડક કાર્યવાહી કરે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સ્પષ્ટ કરશે કે અમે આવા કોઈપણ પ્રતિબંધોના સમર્થનમાં નથી. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન તેમની બે દિવસીય ભારતની મુલાકાતે છે. તેમની સાથે યુરોપિયન યુનિયનના 22 ઉચ્ચ-સ્તરીય કમિશનરોનો પણ સમાવેશ થાય છે. આ પહેલી વાર છે જ્યારે સમગ્ર EU કોલેજ ઓફ કમિશનર્સ ભારતની મુલાકાત લઈ રહ્યા છે. જે ભારત અને EU સંબંધોમાં એક ઐતિહાસિક વળાંક સાબિત થઇ શકે છે.
વ્યૂહાત્મક ભાગીદારીને એક નવો પરિમાણ મળશે
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે છેલ્લા બે દાયકાથી વ્યૂહાત્મક ભાગીદારી રહી છે. આ મુલાકાત બિઝનેસ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની બીજી મંત્રી સ્તરની બેઠક માટે પણ મહત્વપૂર્ણ છે. જે મે 2023માં બ્રસેલ્સમાં પહેલી બેઠક પછી યોજાઈ રહી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને દિલ્હી પહોંચતાની સાથે જ સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, હું મારા કમિશનરો સાથે દિલ્હી આવી છું. આ સંઘર્ષ અને સ્પર્ધાનો સમય છે, અને આવા સમયે વિશ્વાસપાત્ર મિત્રોની જરૂર હોય છે. યુરોપ માટે ભારત માત્ર એક મિત્ર નથી પણ એક વ્યૂહાત્મક સાથી છે. હું આ ભાગીદારીને આગામી સ્તર પર લઈ જવા માટે પીએમ મોદી સાથે ચર્ચા કરીશ.


