ચીન અને તાઈવાન વચ્ચેનો તણાવ જાણીતો છે. ચીન તાઈવાન પર દબાણ વધારવા માટે સૈન્ય કવાયત કરી રહ્યું છે. ચીને તાજેતરના દિવસોમાં તાઈવાન નજીક વારંવાર સૈન્ય કવાયત હાથ ધરી છે. આ દરમિયાન તાઈવાનના રાષ્ટ્રપતિ વિલિયમ લાઈ ચિંગ-તેએ મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિએ ગુરુવારે કહ્યું હતું કે ચીનની ઘૂસણખોરી, જાસૂસી અને ટાપુના સંરક્ષણને નબળું પાડવાના અન્ય પ્રયાસોનો સામનો કરવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. લાઈએ ચીન સાથે સંકળાયેલી તાજેતરની કેટલીક ઘટનાઓ ટાંકી છે જે ખુલ્લા સશસ્ત્ર સંઘર્ષ સિવાયના મનોવૈજ્ઞાનિક યુદ્ધના દાયરામાં આવે છે.
રાષ્ટ્રપ્રમુખ લાઈએ આપ્યો સંદેશ
“વર્ગીકૃત માહિતી મેળવવા, સશસ્ત્ર દળોના સભ્યોને લલચાવવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં અમારો વિશ્વાસ ખતમ કરવા માટે જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવાના બેઇજિંગના પ્રયાસોને રોકવા માટે, તે જરૂરી છે કે આપણે આવી ઘટનાઓને રોકવા અને શોધવા માટે કાનૂની સુરક્ષાને વધારીએ,” પ્રમુખ લાઇએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
ચીન સતત ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે
લાઇની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી બેઇજિંગથી ટાપુની વાસ્તવિક સ્વતંત્રતાની તરફેણ કરે છે. લાઈના પુરોગામી ત્સાઈ ઈંગ-વેન આઠ વર્ષ પહેલા ચૂંટાયા ત્યારથી ચીને DPP સાથે લગભગ તમામ સત્તાવાર સંપર્કો કાપી નાખ્યા છે. ચીન તેના 23 મિલિયન લોકોને ડરાવવા અને સશસ્ત્ર દળોના મનોબળને નબળું પાડવા માટે નિયમિતપણે જહાજો અને એરક્રાફ્ટને એરસ્પેસ અને ટાપુની નજીકના પાણીમાં મોકલે છે અને સૈન્ય કવાયત હાથ ધરે છે. જેથી તાઇવાન ગભરાઈને ચીનને સમર્પિત થઈ જાય.


