પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને તેની વાયુસેનાને હાઈ એલર્ટ પર રાખી દીધી છે. પાકિસ્તાની વાયુસેનાના જાસૂસી વિમાનો ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારોના હવાઈ ક્ષેત્ર પર સતત નજર રાખી રહ્યા છે. પાકિસ્તાનને ડર છે કે ભારત બાલાકોટ એરસ્ટ્રાઇકની જેમ બદલો લઈ શકે છે.ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને સરહદી વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે.
ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બસ્તે X પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, “મને પૂરો વિશ્વાસ છે કે ઈસ્લામાબાદ ભારતના કોઈપણ દુ:સાહસને નિષ્ફળ બનાવવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. આ વખતે પાકિસ્તાનનો જવાબ ખૂબ જ કઠોર હશે.”
<a href="
#” target=”_blank”>
#<a href="
#” target=”_blank”>
આતંકી હુમલામાં 8-10 આતંકીઓ હોઈ શકે છે
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી શંકાની સોય પાકિસ્તાન તરફ ઈશારો કરી રહી છે. આ આતંકવાદી હુમલામાં 8 થી 10 આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે. આ ઘટનામાં, 2 થી 3 આતંકવાદીઓ, જે સ્થાનિક મદદગાર હતા, પોલીસ યુનિફોર્મમાં હતા. આ આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓને પહેલગામ વિસ્તારમાં પહોંચવામાં મદદ કરી રહ્યા હતા. સ્થાનિક ભાષામાં વાત કરીને આ આતંકવાદીઓ કોઈને પણ શંકા કરવા દેતા નહોતા. પોલીસ યુનિફોર્મમાં આવેલા આ આતંકવાદીઓએ પાકિસ્તાની આતંકવાદીઓને તે સ્થળે પહોંચવામાં મદદ કરી જ્યાં પહેલગામ હુમલો થયો હતો. આ ઉપરાંત, એવી પણ માહિતી સામે આવી છે કે 5 થી 7 આતંકવાદીઓ પાકિસ્તાની મૂળના છે.
આતંકી હુમલામાં આત્યાર સુધીમાં 26 લોકોના મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે દક્ષિણ કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં બે વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે – એક સંયુક્ત આરબ અમીરાતનો અને એક નેપાળનો.


