જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા ઘણા સૈન્ય અને આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારતીય વાયુસેનાએ 6-7 મેથી 10 મેની રાત્રી સુધીમાં પાકિસ્તાનમાં ઘણું મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
300 કિલોમીટર દૂરથી સટીક હુમલા કરાયા હતા
આ હુમલામાં હવે મોટો ખુલાસો થઈ રહ્યો છે. તે મુજબ 6 PAF ફાઈટર વિમાન, 2 AWACA, 1 C-130 વિમાન, 30 મિસાઈલ, UAVs અને UCAVsને નષ્ટ કરી દીધા હતા. IAFની એર ડિફેન્સ અને ક્રૂઝ મિસાઈલ હુમલાથી પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સુદર્શન એર લોન્ચ ક્રૂઝ મિસાઈલથી મદદથી તમામ લક્ષ્યને નષ્ટ કરવામાં આવ્યા હતા. સુદર્શન મિસાઈલ દ્વારા 300 કિલોમીટર દૂરથી સટીક હુમલો કરવામાં આવ્યો છે.
આખરે પાકિસ્તાન ઘુંટણીએ પડ્યું અને સીઝફાયર કરવાની વિનંતી કરી
પાકિસ્તાનના ભોલારી એરબેઝ પર કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં એક સ્વીડિશ AEW&C એરક્રાફ્ટને પણ નષ્ટ કરવામાં આવ્યું હતું. આ સિવાય એરબેઝ પર ઘણા ફાઈટર જેટ હાજર હતા. ત્યારે 10થી વધારે UCAVsને ભારતીય ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાં જ ઈન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાનના C-130 વિમાનને પણ IAFના ડ્રોન હુમલામાં તબાહ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત તરફથી દરેક મોર્ચા પર માર પડ્યા બાદ પાકિસ્તાન ઘુંટણીએ પડ્યું અને સીઝફાયર કરવાની વિનંતી કરી હતી. ત્યારબાદ ભારત સીઝફાયર માટે સહમત થયું હતું અને ભારતે સખ્ત ચેતવણી આપી હતી કે જો કોઈ પણ પ્રકારની નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે તો તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.