By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    22 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Business:સરકારનું હોલ્ડિંગ 90%થી વધારે હોયતો FSUફિક્સ્ડ પ્રાઇસે ડિલિસ્ટિંગ કરી શકશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Business:સરકારનું હોલ્ડિંગ 90%થી વધારે હોયતો FSUફિક્સ્ડ પ્રાઇસે ડિલિસ્ટિંગ કરી શકશે

AgraGujarat Rajkot
Last updated: 2025/06/20 at 7:16 AM
9 months ago
Share
Business:સરકારનું હોલ્ડિંગ 90%થી વધારે હોયતો FSUફિક્સ્ડ પ્રાઇસે ડિલિસ્ટિંગ કરી શકશે
SHARE

સેબીના બોર્ડની આજે મળેલી બેઠકમાં ડિલિસ્ટિંગ માટેના ધારાધોરણોમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ સુધારા અંતર્ગત ચોક્કસ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે સ્વૈચ્છિક રીતે ડિલિસ્ટિંગ કરાવવા માટે કેટલાક નવા નિયમો દાખલ કરવામાં આવ્યા હતા. આ નવા નિયમો બેંકિંગ, નોન બેકિંગ ફાયનાન્સિયલ અને વીમા ક્ષેત્રે કાર્યરત ન હોય એવી તથા જે કંપનીઓમાં સરકારનું હોલ્ડિંગ 90 ટકાથી વધારે હોય એવી કંપનીઓને લાગુ પડશે. આવા સુધારા કરવા પાછળનો હેતુ ફિક્સ્ડ પ્રાઇસ ડિલિસ્ટિંગ વિકલ્પ અપનાવીને આવી સરકારી કંપનીઓ ડિલિસ્ટિંગ કરાવી શકે તે માટે વિકલ્પ ખુલ્લો કરવાનો છે. જો આ વિકલ્પ ન આપવામાં આવે તો ડિલિસ્ટિંગ માટે પરંપરાગત રીતે જે રિવર્સ બુક બિલ્ડિંગનો માર્ગ અપનાવવામાં આવે છે તેનો ઉપયોગ આવી કંપનીઓએ કરવો પડે છે, જેમાં સટ્ટાકીય સોદાથી શેરના ભાવ પર અસર પડે એવી અને પબ્લિકનો હિસ્સો ઓછો રહે એવી શક્યતા હોય છે. પાછલા મહિને સેબીએ આ અંગે એક કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું અને હિતધારકો પાસેથી આ અંગે 26મી મે સુધીમાં સુચનો મંગાવવામાં આવ્યા હતા. જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસે લિસ્ટિંગ પછી નિયમોનો અમલ કરાવવો એ સેબી માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ખાસ કરીને લિસ્ટિંગ પછી ત્રણ વર્ષના સમયગાળામાં સંબંધિત કંપનીમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ 75 ટકાથી નીચે હોવું જોઇએ એ નિયમનું પાલન કોઇ જાહેર ક્ષેત્રની કંપની કરતી નથી. આ જોગવાઇના પાલન માટે અનેક પીએસયુને વખતોવખત સમયમર્યાદા લંબાવી આપવામાં આવી છે, તેમ છતાં હાલમાં 20થી વધુ સરકારી માલિકીની કંપનીઓએ આ જોગવાઇનું પાલન કર્યું નથી. આ પૈકીની કેટલીક કંપનીઓને લિસ્ટિંગ કરાવ્યા પછી દસ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે તેમ છતાં આ કંપનીઓ પ્રમોટર્સ એટલે કે સરકારનું હોલ્ડિંગ ઓછું થાય એવો ઇરાદો જ ધરાવતી નથી. ઉપલબ્ધ ડેટા મુજબ સેબીએ ડિલિસ્ટિંગના ધારાધોરણોમાં ફેરફાર કર્યા મુજબ જે કંપનીઓમાં સરકારનું હોલ્ડિંગ 90 ટકાથી વધારે હોય એવી પીએસયુ કંપનીઓની સંખ્યા 10 છે, જેમાં કેઆઇઓસીએલ, આઇડીબીઆઇ બેંક, આઇઓબી, એચએમટી, પંજાબ એન્ડ સિંધ બેંક, સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન, યુકો બેંક, આઇટીઆઇ અને ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ ટ્રાવનકોરનો સમાવેશ થાય છે. જોકે સેબીએ બેકિંગ-ફાયનાન્સિયલ અને વીમા ક્ષેત્રની કંપનીઓને આ લાભ આપ્યો ન હોવાથી આ જોગવાઇનો લાભ લઇ શકે એવી પીએસયુની સંખ્યા માત્ર પાંચ જ છે.

સેબી દ્રારા ડિલિસ્ટિંગના ધારાધોરણોમાં આ સુધારો કરવામાં આવ્યો તે અંગે પ્રતિક્રિયા આપતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે હવે જે પીએસયુ કંપનીઓના શેરના ટ્રેડિંગમાં તરલતા જોવા મળતી નથી એવી કેટલીક પીએસયુ ડિલિસ્ટિંગ કરાવી શકે છે. સેબીએ કરેલા સુધારા મુજબ હવે આવી કંપનીઓએ ડિલિસ્ટિંગ કરાવવા માટે 66 ટકા શેરહોલ્ડર્સની મંજૂરી લેવાની જરૂર નથી અને ફિક્સડ પ્રાઇસના આધારે ડિલિસ્ટિંગ થઇ શકે છે. આ ફિક્સ્ડ પ્રાઇસ ફ્લોર પ્રાઇસથી 15 ટકા જેટલી વધારે રાખવી પડશે અને તે નક્કી કરતી વખતે ટ્રેડિંગની ફ્રિકવન્સિ ધ્યાનમાં લેવાની જરૂર નથી.

હાલમાં જે નિયમો પ્રવર્તમાન છે તે મુજબ જો પીએસયુને ડિલિસ્ટિંગ કરાવવું હોય તો રિવર્સ બુક બિલ્ડિંગની પ્રથાના આધારે શેરની કિંમત નક્કી થાય છે. આ પ્રથા અંતર્ગત 60 દિવસના સરેરાશ ભાવ ગણવાના હોય છે અને છેલ્લા 26 સપ્તાહની જે સૌથી વધારે ભાવ હોય તેને પણ ગણતરીમાં લેવાનો હોય છે. આથી બુક વેલ્યુ ઓછી હોય અને આર્થિક તાકાત ઓછી હોય તો પણ શેરબજારમાં શેરનો ભાવ ઊંચો હોવાના કારણે પીએસયુ માટે ડિલિસ્ટિંગ કરાવવું મોંઘું બને છે.

સેબીના બોર્ડે લીધેલા અન્ય નિર્ણયો:

* ઇન્ડિયન ગવર્નમેન્ટ બોન્ડમાં વિદેશી રોકાણકારો દ્રારા રોકાણ કરવાના નિયમો હળવા બનાવાયા

* ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશન પ્લેસમેન્ટ (ક્યુઆઇપી) માટેના પ્લેસમેન્ટ ડોક્યુમેન્ટના નિયમોમાં પણ છુટછાટ આપવામાં આવી

* નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડમાં ટ્રેડિંગ કરનારા બ્રોકરો માટેની સેટલમેન્ટ સ્કીમને મંજૂરી અપાઇ

* એક્રેડિટેડ ઇન્વેસ્ટર્સ જ એજંલ ઇન્વેસ્ટર્સ બની શકશેઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ) માટેના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના નિયમો હળવા બનાવાયા

* આઇપીઓ પહેલા હવે પ્રમોટર્સ સિવાયના શેરહોલ્ડરો જેવા કે કિ મેનેજરિયલ પર્સોનલ (કેએમપી), ડાયરેક્ટર્સ, કર્મચારીઓ, શેર વેચાણ કરવા માંગતા સ્ટેક હોલ્ડર્સે વગેરેએ પણ શેરોને ડિમેટ ફોર્મમાં કન્વર્ટ કરવા પડશે

આઇપીઓ લાવવા માંગતા સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સ હવે ઇ-સોપ્સનો લાભ લઇ શકશે

આઇપીઓ લાવવા માંગતા સ્ટાર્ટ અપના ફાઉન્ડર્સને મોટી રાહત આપતા એક ઘટનાક્રમમાં સેબીએ સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સને આવા આઇપીઓ માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દાખલ કરવામાં આવે તેના એક વર્ષ પહેલા જારી કરવામાં આવેલા એમ્પ્લોયિ સ્ટોક ઓપ્શન્સ (ઇસોપ્સ)નો લાભ લેવાની છુટ આપી છે. હાલના નિયમ મુજબ આઇપીઓ લાવનારા સ્ટાર્ટઅપ્સના ફાઉન્ડર્સે તેમની પાસે ઇસોપ્સ કે શેર સંબંધિત અન્ય કોઇ લાભો હોય તો તેને આઇપીઓ લાવતા પહેલા વેચી નાંખવાના હોય છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 3 days ago
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?