ચોમાસાની સિઝન શરૂ થતા જ લોકોમાં શરદી અને ઉધરસ જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા જોવા મળે છે. વરસાદની ઋતુમાં સ્વસ્થ રહેવા ઔષધિયગુણથી ભરપર એક શાકભાજીનું સેવન કરવામાં આવે તો બીમારીઓ દૂર રહેશે. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. અનેક વિસ્તારોમાં સ્વચ્છતાના અભાવે અને પાણી ભરાતા મચ્છર અને માખીઓનો ત્રાસ વધે છે. અને એટલે જ વરસાદી સિઝનમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરા જેવી બીમારીના લોકો શિકાર થાય છે.
શાકાહારીઓ માટે શ્રેષ્ઠ શાકભાજી
વરસાદમાં બીમારીઓથી દૂર રહેવા લોકો ગરમ પાણી અને ઉકાળાનું સેવન કરવા લાગે છે. પરંતુ જો આ કાંટાળા શાકભાજીનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં ભરપૂર લાભ થશે. એવું કહેવાય છે કે તંદુરસ્ત રહેવા શાકાહારીઓ માટે આ શ્રેષ્ઠ શાકભાજી છે કારણ કે તે મીટ કરતાં 50 ગણી વધુ તાકાત અને પ્રોટીનયુક્ત હોય છે.
કંકડા શાકભાજીના લાભ
- કંકોડાના શાકભાજીમાં જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પ્રચૂર માત્રામાં અને કેલેરી ઓછી હોય છે. એટલે વજન ઉતારવા માટે કંકોડાની શાકભાજીને દૈનિક આહારમાં જરૂર સ્થાન આપવું જોઈએ.
- કંકોડાને ઋતુ દરમિયાન દરરોજ ખાવાથી તમારું શરીર તાકાતવર બને છે. તેમાં રહેલ ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે છે.
- આ શાકભાજીમાં એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં રહેલુ છે તેમજ તેમાં રહેલા લ્યુટીન જેવા કેરોટીનોઈડ્સ આંખના રોગ, હૃદય રોગ અને કેન્સરને રોકવામાં મદદરૂપ બને છે.
- આ શાકભાજીમાં એન્ટિહાઇપરટેન્સિવ ગુણ રહેલ હોવાથી તે હાઈબીપીના દર્દીઓ માટે લાભકારક છે. જે લોકો હાઈબીપી સંબંધિત સમસ્યાનો સામનો કરતા હોય તેમણે આ શાકભાજીનો રસનું સેવન કરવું. ખાસ કરીને વરસાદી સિઝનમાં સપ્તાહમાં બે વખત પણ આ શાકભાજીના જયુસનું સેવન કરવામાં આવે તો બીપી નિયંત્રણમાં રહેશે.
- કંકોડાનો તાજુ જ્યુસ પીવાથી બ્લડપ્રેશર નિયત્રિંત થાય છે. કારણ કે કંકોડામાં ફાઇબરનું પ્રમાણ રહેલું છે જે લોહીમાં શુગરના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને વધુ પડતી એન્ટિબાયોટિક દવા લેવાની જરૂર પડતી નથી.
કંકોડામાં શરીર માટે ઘણા જરૂરી ઘટકો હોય છે. પ્રોટીન અને ફાઈબર પ્રચૂર માત્રામાં હોવાના કારણે કંકોડા શાકભાજીનું સેવન કરવાથી શરદી, ઉધરસ અને શરદીની સામાન્ય સમસ્યા ઉપરાંત હૃદયરોગ અને કેન્સર જેવી બીમારીમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. કંકોડાનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે. સામાન્ય રીતે અત્યારે આખું વર્ષ હવે તમામ શાકભાજી મળતા હોય છે પરંતુ પરવર અન કંકોડા જેવી શાકભાજી ફક્ત ઋતુ પ્રમાણે જ જોવા મળે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.