પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે 12થી વધુ ગાડીઓને ટક્કર મારી હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા
અકસ્માતના કારણે ટ્રાફિક જામ
બિહારના મોતીહારીમાં ટ્રક કાળ બનીને આવ્યો હતો. અને 12થી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં 5નાં મોત અને 6 લોકો ઘાયલ થયા છે. ટ્રક નીચે 8 બાઇક, એક ઇ-રિક્શા દબાઇ હતી. અકસ્માત બાદ એનએચ-27 પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘાયલોની સારવાર વહેલી તકે શરુ કરવામાં આવી છે. જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે. બાઇક અને ઇ-રિક્શામાં સવાર લોકોના મોત નિપજ્યા છે.
અકસ્માત બાદ રોષનો માહોલ
રોષે ભરાયેલા લોકોએ અકસ્માત બાદ ટ્રાફિક જામ કર્યો હતો. આ અકસ્માત બાદ એટલો ગંભીર હતો કે ટ્રક નીચે મોટાભાગની બાઇક દબાઇ ગઇ હતી. અને એક ઇ-રિક્શા પણ દબાઇ હતી. લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. અને નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.
રસ્તા પર વિખેરાયો સામાન
અકસ્માત બાદ બાઇક અન ઇ-રિક્શામાં સવાર યાત્રીઓનો સામાન રસ્તા પર વિખેરાયેલો જોવા મળ્યો હતો. ઘટના બાદ વિસ્તારના લોકોએ પ્રદર્શનો યોજ્યા હતા. જ્યાં માહિતી બાદ કોટવા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તપાસ શરુ કરી. ટ્રાફિક જામની સમસ્યા હલ કરાવી હતી.
આ પણ વાંચોઃ Delhi સ્પેશિયલ સેલ પોલીસે ISI સાથે સંકળાયેલા 3 આતંકીઓની કરી ધરપકડ


