ભારત સરકાર દ્વારા એક બાજુ શહેરને સ્વચ્છતા અભિયાન માટેના એવોડૅ મળી રહ્યા છે, અને બીજી બાજુ એ પૂર્વ વિસ્તામાં નિકોલ જેવા ઝડપથી વિકસિત થતા વિસ્તારમાં ક્ષેત્રફ્ળ અને વસ્તીનીની દૃષ્ટિએ સૌથી મોટા એવા નિકોલ-કઠવાડા વોર્ડમાં હાલ માત્ર 400 જેટલાં જ સફાઇ કામદારો મુકેલ છે. નિકોલમાં સફાઇના પાંચ જેટલા બીટ છે નિકોલ ગામમાં 2, બેટી બચાવ અર્બન સેન્ટરમાં 2 અને કઠવાડામાં 1 પરતું તેમા હાલ માત્ર 400 સફાઇ કામદારો છે જે અપુરતા હોય તેવું વિસ્તામાં ફરતા લાગે છે.
હાલ પૂર્વના આટલા મોટા અને ઝડપથી વિકસિત વિસ્તારમાં 1000 સફાઇ કામદારો હોવા જોઈએ જેથી રોડ રસ્તા પરથી સફાઇ સમયસર થઈ શકે. ખાસ કરીને નિકોલના એમ.જી.રોડ ઉપર આવેલ મલબાર હિલ- શાહીકુટિરથી કેશર હારમનિ રોડ, રાજભવન બંગ્લોઝથી ઝાલાવાડી કુમાર છાત્રાલય સુધીનો રોડ તેમજ ભક્તિ સર્કલથી નિકોલ પોલીસ સ્ટેશન સુધીના આ તમામ રોડ કે જે ત્રણ કિલોમીટર મુખ્ય રોડ હોવા છતા એક પણ રોડ ઉપર સવાર સાંજ સફાઇ કામદાર મુકેલા ના હોવાથી નિયમિતપણે સફાઇ થતી નથી. આ ઉપરાત નવા વિકસિત વિસ્તાર એવા રાજભવન બંગ્લોઝની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કમાં પણ સફાઇ કામદાર ફાળવેલ ના હોવાથી સિનિયર સિટીઝનોને દરરોજ ઉંમરલાયક હોવા છતા સફાઇ જાતે કરવી પડી રહી છે. સફાઇના અભાવે એમ.જી રોડ ઉપરની બંને બાજુએ ફૂટપાથ ઉપર કચરાના ઢગલાઓ અને ગંદકી જોવા મળે છે ત્યારે નિકોલના આ વિસ્તારમાં નિયમિતપણે સફાઇ થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ ખાતા દ્વારા સફાઇ કામદારોને મુકવામાં આવે તેવી સ્થાનિક એમજી રોડ તથા ભક્તિ સર્કલ વિસ્તારની 40 જેટલી સોસાયટીના રહીશોની માંગણી રહેલી છે.
ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ના નામે દરેક ટેક્સમાં 0.50% સ્વચ્છતાનો ટેક્ષ વસુલ કરવામાં આવે છે, ત્યારે લોકોના આરોગ્ય માટે ખુબજ જરૂરી એવી સફાઇ નિયમિતપણે થાય તે જરૂરી છે. સફાઇ કામદારો કાયમી ધોરણે આ રોડ ઉપર મુકવા બાબતે સ્થાનિક કાઉન્સિલરો તથા નિકોલના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર સમક્ષ નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. પરંતુ બજેટ દરમિયાન તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોની રજૂઆત રહેલી છે.
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં યોગ્ય ફાળવણી કરવામાં આવે તેવી માંગ
શહેરમાં આગામી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાને માત્ર ત્રણ વર્ષ બાકી છે તે મેગા સિટી શહેરની આ દશા અને હાલત છે. પૂવૅ અમદાવાદમાં થી મ્યુનિસિપલ કોર્પોરેશન 80% વેરા ઉઘરાવીને પૂવૅ અમદાવાદ પ્રત્યે જ વહાલાં દવલાની નિતિ રાખે છે ત્યારે તંત્ર દ્વારા 70% બજેટ પૂવૅનાવિસ્તારમાં ફાળવી શહેરનો સમતોલ વિકાસ કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકો ઇચ્છી રહ્યા છે.


