બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – રાજકોટ (જામનગર રોડ ઝોન/ગાંધીગ્રામ ઝોન) તેમજ પરસોંડા એસોસીએશન દ્વારા તાજેતરમાં રોજ એડવોકેટશ્રી સ્વ. શૈલેષભાઈ પરસોંડા સાહેબની ૧૨ મી પુણ્યતિથિ નિમિતે થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનુ આયોજન શ્રેયાંશ સ્કૂલ બજરંગવાડી, શેરી નં. ૦૧, જામનગર રોડ રાજકોટ ખાતે યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં દાતાશ્રીઓએ રકતદાન કર્યુ હતું.
આ રક્તદાન કેમ્પનું આયોજન પરસોંડા એસોશીએટસના વડિલ હરેશભાઈ પરસોંડા તેમજ જામનગર રોડ ઝોન પ્રમુખ કેતનભાઈ પ્રજાપતિ અને ગાંધીગ્રામ ઝોન પ્રમુખ રાણાભાઈ ગોજીયા દ્વારા નક્કી કરવામાં આવેલ. જેને સફળ બનાવવા વિવિધ મંડળો પણ સાથે જોડાયેલ. આ કેમ્પનું સફળ આયોજન કરવા માટે શ્રેયાંશ સ્કૂલ (બજરંગવાડી)ના ફાઉન્ડર ટ્રસ્ટીઓ ડો. ચિરાગભાઈ માઢક, પ્રશાંતભાઈ જાની, મહેશભાઈ મહેતા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ રકતદાન કેમ્પમાં ગુજરાત રાજ્ય મહામંડળના અધ્યક્ષ ભરતભાઈ ગાજીપરા, મહામંડળના સૌરાષ્ટ ઝોન પ્રમુખ અજયભાઈ પટેલ, સ્વનિર્ભર શળા સંચાલક મંડળ – રાજકોટના પ્રમુખ અવધેશભાઈ કાનગડ, મહામંત્રી ઉર્વેશભાઈ પટેલ, કોરકમીટીના સહમંત્રી વિનયભાઈ લોખીલ, વર્તમાન ગાંધીગ્રામ ઝોન પ્રમુખ રાણાભાઈ ગોજીયા, ગાંધીગ્રામ ઝોન કારોબારી કુલદીપભાઈ ભાટીયા, હરદાસ પટેલ, પૂર્વઝોન પ્રમુખ નકાણીસર, વડીલ સંચાલકો દુદાભાઈ ભાટીયા, મનવીરભાઈ કુગશીયા, મુકેશભાઈ લોખીલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


