LPGની અછત વચ્ચે રાજ્યની પ્રજાને હાડમારીનો અંત
32 લાખ સિલિન્ડર ભરાય તેટલા જથ્થા સાથેનું જહાજ નંદાદેવી જામનગરના વાડીનાર પોર્ટમાં સુરક્ષિત પહોંચ્યું
ગઈકાલે ૪૬,૦૦૦ મેટ્રીક ટન LPG ગેસનો જથ્થો ભરેલ જહાજ કતારથી મુન્દ્રા બંદરે લંગારાયું: હોર્મુઝની ખાડીને પાર કરી આવ્યું
માત્ર ગુજરાત નહીં પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોને થશે ફાયદો: નાના જહાજોમાં તામિલનાડુ પોર્ટ સુધી પહોંચાડાશે જથ્થો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સર્જાયેલી ગેસની કટોકટી વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે બે દિવસમાં ૯૨ મેટ્રિક ટન ગેસનો જથ્થો ગુજરાતના બંદરો સુધી પહોંચ્યો છે. ગઈકાલે ૪૬,૦૦૦ મેટ્રીક ટન ભરેલા જથ્થા સાથે મુન્દ્રા બંદરે શિવાલીક અને આજે ૪૬,૦૦૦ મેટ્રીક ટન જથ્થો ભરેલ નંદાદેવી જહાજ જામનગરના વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 46,000 મેટ્રિક ટન LPG નો વિશાળ જથ્થો લઈને ‘નંદા દેવી’ નામનું ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.
જામનગરના વાડીનાર પોર્ટ પર લાંગરેલા આ ‘નંદા દેવી’ જહાજની વિશેષતા એ છે કે તેમાં રહેલો 46,000 મેટ્રિક ટન LPG નો જથ્થો લગભગ 32.4 લાખ રાંધણ ગેસના સિલિન્ડર ભરવા માટે પૂરતો છે. વાડીનાર પોર્ટ પરથી આ ગેસનો જથ્થો મથુરા પાઈપલાઈન મારફતે અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવશે.
આ જથ્થાથી માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોને પણ મોટો ફાયદો થશે. મુખ્ય જહાજ પરથી LPG નો કેટલોક જથ્થો બે નાના જહાજો- MTBW બ્રિઝ અને MD જગ પ્રતાપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નાના જહાજો મારફતે ગેસનો આ જથ્થો તામિલનાડુ પોર્ટ સુધી પહોંચાડવામાં આવશે.
ગેસ કટોકટી વચ્ચે, આ એક રાહતદાયક સમાચાર છે. યુદ્ધ અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે, ભારતીય જહાજ શિવાલિક હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળીને ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું છે. તેલ શિપિંગ માર્ગો પર જોખમોમાં વધારો થવાને કારણે પરિસ્થિતિઓ વધુ પડકારજનક બની ગઈ હોવાથી, આને એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે બિરદાવવામાં આવી રહી છે.
કતારથી આયાત કરાયેલ LPGનો ઉપયોગ દેશના સ્થાનિક ગેસ પુરવઠાને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે. શિવાલિક એ શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત એક મોટું ગેસ કેરિયર જહાજ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે: શિવાલિક દ્વારા પહોંચાડવામાં આવેલા 46,000 મેટ્રિક ટન રસોઈ ગેસથી કેટલા સિલિન્ડર ભરી શકાય?
જ્યારે પણ બીજા દેશમાંથી એલપીજી આયાત કરવામાં આવે છે, ત્યારે તે પ્રવાહી સ્થિતિમાં પરિવહન થાય છે. આ પદ્ધતિ ગેસના પરિવહનને નોંધપાત્ર રીતે મોટા જથ્થામાં મંજૂરી આપે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે 46,000 મેટ્રિક ટન LPG નો ઉપયોગ કરીને કેટલા સિલિન્ડર ભરી શકાય છે? આનો જવાબ આપવા માટે, સૌ પ્રથમ કિલોગ્રામમાં ગેસનો કુલ જથ્થો નક્કી કરવો પડશે.
જો કોઈ જહાજે 46,000 મેટ્રિક ટન LPG પહોંચાડ્યું હોય, તો પ્રથમ પગલું આ આંકડાને કિલોગ્રામમાં રૂપાંતરિત કરવાનું છે. એક મેટ્રિક ટન 1,000 કિલોગ્રામ બરાબર છે. 46,000 મેટ્રિક ટનને કિલોગ્રામમાં રૂપાંતરિત કરવા પર, LPGનો કુલ જથ્થો 46,000,000 કિલોગ્રામ થાય છે.
આમ, શિવાલિક જહાજ પર 46,000,000 કિલોગ્રામ રસોઈ ગેસ ભારતમાં આવ્યો છે. ભારતમાં, એક પ્રમાણભૂત ઘરેલું ગેસ સિલિન્ડર 14.2 કિલોગ્રામ ગેસ ધરાવે છે; આ ગણતરીના આધારે, ભરી શકાય તેવા કુલ સિલિન્ડરોની સંખ્યા 3,239,000 સુધી પહોંચે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કતારથી ભારતમાં પહોંચેલા 46,000 મેટ્રિક ટન ગેસનો ઉપયોગ કુલ 3,239,000 LPG સિલિન્ડર ભરવા માટે થઈ શકે છે. સરકારે બંદર અધિકારીઓને ઘરો માટે બનાવાયેલ કાર્ગોને અનલોડ કરવા, ત્યારબાદ હોસ્પિટલો, શાળાઓ અને અંતે, વાણિજ્યિક સાહસો માટે કેસ-બાય-કેસના આધારે વ્યવસ્થા કરવા સૂચના આપી છે.
ગેસની સપ્લાઈ ચેઈન વધુ મજબુત બનશે
આ જંગી જથ્થો ભારતીય સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેનાથી માત્ર ઘરેલુ ગ્રાહકોને જ નહીં પરંતુ ઉદ્યોગોને પણ મોટી રાહત મળશે. નંદા દેવી જહાજ સાથે જોડાયેલા અન્ય જહાજો પણ જ્યારે ભારત પહોંચશે, ત્યારે દેશમાં ગેસની સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે અને બજારમાં સર્જાયેલો અછતનો ખતરો ટળી જશે.
યુદ્ધના માહોલ વચ્ચે સફળ ઓપરેશન
આ ગેસ ઑપરેશનની સૌથી નોંધપાત્ર બાબત તેની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા હતી. જ્યારે આ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પણ ભારતીય નૌસેનાએ સતત તેના પર દેખરેખ રાખી હતી. હોર્મુઝની ખાડીનો માર્ગ અત્યંત સંવેદનશીલ હોવાથી તેમાં ખૂબ જ ચોક્સાઈની જરૂર હતી. કોઈપણ પ્રકારનો ખતરો ન રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ભારતીય નૌસેનાની ટીમે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમની સુરક્ષા હેઠળ જહાજને એસ્કોર્ટ કરી ભારતીય જળસીમામાં સલામત રીતે પ્રવેશ કરાવ્યો હતો. જ્યાં સુધી જહાજ વાડીનાર પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ન ગયું, ત્યાં સુધી નૌસેનાએ સતત મોનિટરિંગ ચાલુ રાખ્યું હતું. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં ખૂબ જ સંવેદનશીલ અને ચોકસાઈની જરૂર હતી.


