ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો અભિનવ પ્રયોગ છે. ડૉ. નરેન્દ્રભાઈ દવે અગ્ર ગુજરાત, રાજકોટ ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા " રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ" નિમિત્તે યોજવામાં આવેલી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સ્મૃતિ ચિન્હ શિલ્ડ અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રથી સન્માનિત કરવાનો કાર્યક્રમ ૨૨મી માર્ચ, રવિવારના રોજ રાજકોટ ખાતે યોજાઈ ગયો. આ નિબંધ સ્પર્ધા ચાર વિભાગમાં અને ૧૨ વિષયો ઉપર યોજવામાં આવેલ હતી. સમગ્ર ગુજરાતમાંથી ૧૫ જીલ્લાના કુલ ૭૫૦ સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો, જેમાંથી પ્રથમ ત્રણ ૩૭ સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. વિરમભાઇ સાંબડ દ્વારા પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે , ગ્રંથાલયો એ સમાજની વિદ્યાપીઠ છે. વાંચન દ્વારા લોકોમાં જ્ઞાનનું વિસ્તરણ થાય છે અને સમાજ જીવનના મૂલ્યોમાં આમૂલ પરિવર્તન આવે છે. ગ્રંથાલય ભારતીના અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવે એ જણાવ્યું હતું કે, નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપવા માટેનો એક અભિનવ પ્રયોગ છે, જે વિદ્યાર્થી જીવન ઘડતર માટેનો મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રસંગે ગ્રંથાલય વિજ્ઞાનના તજજ્ઞ અને ગ્રંથાલય ભારતી ના મહામંત્રી દિલીપભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, શરીરના પોષણ માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર છે, તે રીતે માનસિક પોષણ માટે વાંચન ઉત્તમ ખોરાક છે. અનેક મહાન પુરુષોના જીવન પરિવર્તન વાંચન દ્વારા થયા છે. ગ્રંથાલય ભારતીના મંત્રી ડૉ.…
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
ડિજિટલ ગુજરાત”ના દાવાઓ સામે ગંભીર સવાલો અગ્ર ગુજરાત, રાજકોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ…
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
ઋતિ ત્રિવેદી, હર્ષલ પંડયા અને અદિતી સોનીએ બાજી મારી અગ્ર ગુજરાત, રાજકોટ…
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
“જળ આજનો વ્યય, કાલની તરસ” નાટકએ આપ્યો જાગૃતિનો સંદેશ અગ્ર ગુજરાત, રાજકોટ…
મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
ગ્રેચ્યુઇટી ચૂકવવા માટે મુખ્ય નોકરીદાતા જ જવાબદાર છે : હસુભાઇ દવે અગ્ર…
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
મહાદેવધામમાં બટુક ભોજન-પ્રસાદનું આયોજન સુંદરકાંડ, હનુમાન ચાલીસા, ભજન-ધૂન-સત્સંગના કાર્યક્રમો યોજાશે અગ્ર ગુજરાત,…
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા યોજાઇ
રાષ્ટ્રીય એકતાના દર્શન, દેશપ્રેમના સુત્રોચ્ચાર અગ્ર ગુજરાત, રાજકોટ વંદેમાતરમના 150 વર્ષ પૂર્ણ…
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
વ્યકિતગત સ્વતંત્રતા બીજા જીવનસાથીના કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન કરી શકતી નથી અગ્ર ગુજરાત,…
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
ધોરાજીમાં પૈસાની લેતીદેતીમાં, ઘોઘાના વાળુકડમાં અજાણ્યા શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળ્યું : લીંબડી…

