શહેર ભાજપ દ્વારા ૧૮ વોર્ડના તમામ કાર્યકર્તાઓને ૧૦ દિ’ની તાલીમ અપાઇ
પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા પાર્ટીના આગેવાનો, નેતાઓ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓની નિષ્ઠા, વિચારધારા અને સંગઠનની ભાવના મજબુત બને તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા સમયાનુસાર તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહા અભિયાન-2026 અંતર્ગત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીની સુચના અનુસાર સમગ્ર રાજયના ભારતીય જનતા પાર્ટીના રાજયના કેબીનેટ મંત્રીઓ, રાજયકક્ષાના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો, શહેર સંગઠન ટીમો, શહેર મોરચાની ટીમો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ સહિતના આગેવાનો કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરના તમામ વોર્ડના અપેક્ષિત કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગ તા. ૧ જુલાઈ થી ૧૦ જુલાઈ સુધી ધ રોયલ કેસ્ટલ, મોદી હાઈસ્કુલ પાસે, ૧૦૦ ફુટ રાતૈયા રોડ, ઈશ્વરીયા, રાજકોટ ખાતે દરરોજ બે-બે વોર્ડ મુજબ આયોજીત આ પ્રશિક્ષણ વર્ગના કુલ ૧૨૯૧ પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહી સાતેય વિષયનું પ્રશિક્ષણ લીધુ હતુ.
તા. ૧/૭ ના રોજ પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર પ્રભારી અનિરૂધ્ધભાઈ દવેએ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદર્શિત કરવામાં આવેલ રાજકોટ શહેરના તત્કાલિન શહેર પ્રમુખોના અનાવરણ ચિત્રોની પ્રદર્શનીનું ઉદ્ધાટન કરી અને પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરાવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ શહેર પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ ઈન્ચાર્જ પ્રદિપભાઈ ખીમાણી, સહઈન્ચાર્જ રાજીવભાઈ પંડયા પણ ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને તેમજ પ્રશિક્ષણાર્થીઓને સંબોધિત કર્યા હતા.


