By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 hours ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: મંદિરમાં મોત, બસની ઠોકર, ઝેરી દવા અને તૂટેલો પિલ્લરઃ ચાર જિંદગીનો અંત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મંદિરમાં મોત, બસની ઠોકર, ઝેરી દવા અને તૂટેલો પિલ્લરઃ ચાર જિંદગીનો અંત

Editor
Last updated: 2026/08/20 at 3:21 PM
27 minutes ago
Share
મંદિરમાં મોત, બસની ઠોકર, ઝેરી દવા અને તૂટેલો પિલ્લરઃ ચાર જિંદગીનો અંત
SHARE

મંદિરમાં મોત, બસની ઠોકર, ઝેરી દવા અને તૂટેલો પિલ્લરઃ ચાર જિંદગીનો અંત

મંદિરમાં દર્શન કરવા ગયેલા રાજેન્દ્રસિંહ ઢળી પડ્યા, શાપરમાં બસની ઠોકરે ત્રણ વર્ષના માસૂમની મોત, હીંચકામાં રમતી બાળકી નીચે પટકાતા મોતની ભેટી

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ બનેલી ચાર કરૂણ ઘટનાઓમાં ચાર વ્યક્તિઓના મોત નિપજતાં પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રેલનગરમાં મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા 57 વર્ષીય રાજેન્દ્રસિંહ જાડેજા અચાનક ઢળી પડ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. જ્યારે શાપર-વેરાવળમાં ઘર બહાર રમી રહેલા માત્ર ત્રણ વર્ષના બાળક મહેન્દ્રને સ્કૂલ બસની ઠોકર લાગતાં તેનું મોત થયું હતું. બીજી તરફ ગવરીદળમાં 29 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જામકંડોરણાના ધોળીધારમાં હીંચકા પર ઝૂલતી 12 વર્ષની બાળકી પર સિમેન્ટના પિલ્લરનો ભાગ પડતાં ગંભીર ઇજા થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
રેલનગરમાં ઘર નજીક મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા રાજેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા (ઉ.વ.57) અચાનક બેભાન થઈ ઢળી પડતાં હાજર દર્શનાર્થીઓએ 108ને જાણ કરી હતી. પરિવારજનોને જાણ કરી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પ્રનગર પોલીસે કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૂળ ખાખરાના વતની રાજેન્દ્રસિંહ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને બે ભાઈ તથા એક બહેનમાં મોટા હતા. સગાઓએ હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેઓ નિયમિત મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા અને ગત દિવસે પણ દર્શન કરવા ગયા ત્યારે આ કરૂણ બનાવ બન્યો હતો.
શાપર-વેરાવળના ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઘર બહાર રમી રહેલા ત્રણ વર્ષના મહેન્દ્ર માનસિંગભાઈ જાદવને ખાનગી સ્કૂલ બસની ઠોકર લાગતાં ગંભીર ઇજા થઈ હતી. બસના ચાલકે જ બાળકને સારવાર માટે ખસેડ્યો હતો. શાપરથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા મહેન્દ્રનું સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી બસ ડિટેઇન કરી હતી અને ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ કરી હતી. મૂળ મધ્યપ્રદેશના પરિવારનો મહેન્દ્ર એક બહેન અને બે ભાઈમાં બીજો હતો. લાડકવાયા પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને મૃતદેહને અંતિમવિધિ માટે વતન મધ્યપ્રદેશ લઈ જવાયો હતો.
કુવાડવા તાબેના ગવરીદળમાં વાડી વિસ્તારમાં રહેતા 29 વર્ષીય ભાવનાબેન રાજેશભાઈ નાયકાએ જીવજંતુ મારવાની દવા પી લેતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૂળ છોટાઉદેપુરના ભાવનાબેન પતિ સાથે ખેતમજૂરી કરતા હતા અને ત્રણેક મહિનાથી પરિવાર સાથે ગવરીદળની વાડીમાં રહેવા આવ્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે આ પગલું શા માટે ભર્યું તે અંગે પતિ અજાણ હોવાથી કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે. માતાના મોતથી બે સંતાન માતાવિહોણાં થતાં મજૂર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
જામકંડોરણાના ધોળીધારમાં 12 વર્ષીય આરઝુ સલીમભાઈ મકરાણી ઘરે હીંચકા પર ઝૂલી રહી હતી ત્યારે સિમેન્ટના પિલ્લરનો એક ભાગ તૂટી પડતાં તે નીચે પટકાઈ હતી. પિલ્લરનો ભાગ માથામાં વાગતાં તેને ગંભીર ઇજા થઈ હતી. પ્રથમ ગોંડલની હોસ્પિટલ, ત્યારબાદ રાજકોટ એઇમ્સ અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી આરઝુએ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી આરઝુ એક ભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરે હતી. પુત્રીના અચાનક મોતથી ખેતીકામ કરતા સલીમભાઈના પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

You Might Also Like

સિધ્ધનાથ ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરીયન ડે અંતર્ગત પરીસંવાદ યોજાયો

સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ દ્વારા આરોગ્યલક્ષી ભવ્ય શિબિર યોજાઇ

રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાર્પણ

મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શૈક્ષણિક મુલાકાત લીધી

જન્માષ્ટમીની ધર્મ યાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાળાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
રાજકોટ

આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Editor By Editor 2 days ago
ગોંડલના ગરનાળા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ નીલગાયનું રેસ્ક્યુ
10% વળતરની લાલચે 11 રોકાણકારો સાથે 9.61 કરોડની છેતરપિંડી
શ્રાવણ માસમાં આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે RMC ની લાલ આંખ
મનપાની સંકલન બેઠકમાં રોડ-રસ્તા, ગટર અને દુષિત પાણીના પ્રશ્નોની છડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?