By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

Editor
Last updated: 2026/04/30 at 5:49 PM
1 day ago
Share
લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ
SHARE

લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને પૈસાની લેતી-દેતીમાં કિર્તીદાનના કહેવાથી પોલીસે કસ્ટડીમાં ગોંધી રાખી માર માર્યાની અરજી કરી હતી : CCTV સાચવવા પોલીસને નિર્દેશ

અગ્ર ગુજરાત, અમદાવાદ

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે. અમદાવાદના ખોડિયારનગરના રહેવાસી અરજદાર જયેશ પરમારની અરજીને સાંભળીને સામાવાળા નામે CID ક્રાઈમ સાયબર સેલ પોલીસ મથકના PI બી.એમ. ચૌધરી, PSI પરમાર, SP રાજદીપસિંહ ઝાલા સાથે ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવી સહિત તેમના અન્ય ભાગીદારોને નોટીસ ફટકારવામાં આવી છે.

અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ-કિતાબ અને નાણાકીય લેવડ-દેવડમાં વિવાદ સર્જાયો હતો. આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ કોઈપણ પ્રકારના વોરંટ કે નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ જયેશ પરમારને સિવિલ ડ્રેસમાં અટકાયત કરી હતી અને સવારના 10:00 વાગ્યાથી મોડી રાતના 2:00 વાગ્યા સુધી ગોંધી રાખ્યા હતા.

જે તે સમયે અધિકારીઓએ કાયદો હાથમાં લઈ જયેશ પરમારને માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ અધિકારીઓએ લોક ગાયક કિર્તિદાન ગઢવી તથા તેમના ભાગીદારોની વાતમાં આવી અરજદારને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત હાઇકોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવી રાખવા હુકમ પણ કર્યો છે.

અરજદારે પોતાની અરજીમાં વધુમાં જણાવ્યું છે કે કિર્તિદાન ગઢવી અને અરજદાર વચ્ચે કોમર્શિયલ સિવિલ પ્રકારનો વિવાદ હતો. જેનું નિવારણ લવાદ દ્વારા લાવી શકાય તેમ હતું. પરંતુ આ સમગ્ર ઘટના પાછળ કિર્તિદાન ગઢવી મુખ્ય માસ્ટર માઈન્ડ છે. સાથે જ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવે.

અરજદારે જણાવ્યું હતું કે તે પોતે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છે. જેણે કિર્તીદાન ગઢવી સાથે નવરાત્રિ 2025 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. તેઓએ એક પાર્ટનરશિપ ડીડ કરી હતી. પરંતુ પૈસા અને એકાઉન્ટ બાબતે વિવાદ ઊભો થયો હતો. અરજદારે કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ કર્યો નથી. તેમ છતા સાયબર સેલ ગાંધીનગરના પોલીસ કર્મચારીઓએ સાદા ડ્રેસમાં તેને કસ્ટડીમાં ગોંધી રાખી માર માર્યો હતો. માર મારવા અંગેનું ડૉક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. તો અમદાવાદમાં યોજાયેલી ઇવેન્ટને લગતી કોઈપણ ફરિયાદ ગાંધીનગરની હદમાં આવતી નથી, તેમ છતાં કિર્તિદાનના કહેવાથી પોલીસે આ પગલું ભર્યું હતું. કારણ કે નવરાત્રિમાં પોલીસે અધિકારીઓને આપવા માટે 8,000 થી વધુ ટિકિટો લીધી હતી.

ગાંધીનગરની કોર્ટે નોંધ્યું હતું કે FIR નોંધાયાને ઘણો સમય થયો હોવા છતા અરજદારોને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને અન્ય ફરિયાદો પણ ધ્યાને લીધી હતી, અરજદારોને કોર્ટે શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

આ મામલે હાઇકોર્ટે ગંભીર નોંધ લેતા કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, સાયબર સેલના PI બી. એમ. ચૌધરી અને PSI પરમારને ખુલાસો કરવા નોટિસ જાહેર કરી છે. કોર્ટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના તમામ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા હુકમ કર્યો છે, જેથી સત્ય શું છે તે બહાર આવી શકે.

બીજી તરફ, આ પ્રકરણમાં અરજદારો સામે પણ કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે નોંધાયેલી FIR મુજબ, જયેશ પરમાર, સંજય દેસાઈ અને રવિકુમાર શાહ પર ઓનલાઇન પ્લેટફોર્મનો ગેરઉપયોગ કરી આશરે 65 હજાર જેટલી કોમ્પ્લિમેન્ટરી ટિકિટોને પેઇડ ટિકિટ તરીકે વેચીને 8થી 10 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાનો આરોપ છે. જો કે આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી પોલીસ દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાની બાબતને ધ્યાને લઈને ગાંધીનગર કોર્ટે અગાઉ આ ત્રણેય અરજદારોને શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

આ કેસ હાલમાં કોર્ટના આધીન છે અને બંને પક્ષોના પુરાવાઓ તપાસ્યા બાદ જ અંતિમ ચૂકાદો આવશે. કિર્તીદાન ગઢવી જેવા જાણીતા કલાકારનું નામ આ વિવાદમાં ઉછળતા મનોરંજન જગતમાં ભારે ચર્ચાઓ જાગી છે.

You Might Also Like

અદાલતમાં ગરીમા જાળવતા વસ્ત્રો પહેરવા જોઇએ : હાઇકોર્ટમાં

કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ

ઓડિટ હિસાબો જમા નહી કરનાર શાળાઓની ગ્રાન્ટ-પગાર અટકાવાશે

અમદાવાદમાં બોગસ વોટીંગ મામલે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના કાર્યકરોને માર માર્યો

અમદાવાદમાં શાંગરીલા-૨ આર્કેડમાં ભીષણ આગ, ફસાયેલા 3૦થી વધારે લોકોનું રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
૧ મે..ગુજરાતનો ગૌરવ દિવસ : સંઘર્ષથી સર્જાયેલું રાજ્ય, ઓળખથી ઊભેલું ગૌરવ
ગુજરાત

૧ મે..ગુજરાતનો ગૌરવ દિવસ : સંઘર્ષથી સર્જાયેલું રાજ્ય, ઓળખથી ઊભેલું ગૌરવ

Editor By Editor 49 minutes ago
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
ધોરાજીમાં પૂર્વ ધારાસભ્યના કાર્યાલયની બાજુનાં પ્લોટમાં આગ ભભૂકી ઉઠી
 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો
જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?