ગીર જસાધારમાં વન વિભાગની કાર્યવાહી, કોર્ટના આદેશથી કરોડોની જમીનનો કબજો પરત મેળવાયો
હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું
અગ્ર ગુજરાત, ઉના
ગીરપૂર્વ વન વિભાગે લાંબા કાનૂની જંગ બાદ જસાધાર રેન્જ હેઠળના જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટગામનીકરોડો ની કિંમતની જમીન ખુલ્લી કરાવી છે. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે વન વિભાગનીતરફેણમાંચુકાદોઆપતા વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે સર્વે નં.21વાળીઆશરે 22.20 હેક્ટર જમીનનો કબજો પરત મેળવી લીધો છે.
જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટ ગામની સર્વે નં. 21 વાળી આ જમીન પર છેલ્લા ઘણા વર્ષોથીગેરકાયદેસરકબજો અને શરતભંગની ફરિયાદો હતી. વન વિભાગે કબજો દૂર કરવા કાર્યવાહી કરતા આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને લાંબો કાનૂની વિવાદ ચાલ્યો હતો.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સેકન્ડ અપીલ નં. 78/2004 અંતર્ગત તા. 23/09/2025 ના રોજ વન વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ સ્પેશિયલ લીવ પિટિશન (સિવિલ) નં. 13406/2026 માં વન વિભાગના પક્ષ માં જ નિર્ણય આપી હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો.
બંને નામદાર અદાલતોના આદેશ અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગીર(પૂર્વ)વનવિભાગ, ધારી દ્વારા તા. 18/05/2025 ના રોજ કાયદેસરની પ્રક્રિયા અનુસરીને પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો પરત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મદદનીશ વન સંરક્ષક, જસાધાર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વન વિભાગ નો સ્ટાફ તેમજ પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગીરનું જંગલ એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર છે. આ પ્રકાર ની ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિઓ વન્યજીવોના રહેઠાણ અને પર્યાવરણ માટે ખતરારૂપછે.કોર્ટનાઆદેશ થી થયેલી આ કાર્યવાહી વન વિકાસ અને વન્યજીવ સંરક્ષણના હિતમાં એક મહત્વનું પગલું છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો સામે આવી કડક કાર્યવાહી યથાવત્ રહેશે.


