ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકી નું સામ્રાજ્ય,, સડેલા ઢોર ખાવા સિંહો મવજબૂર
એક સિંહ પાછળ લાખોનો ખર્ચ, પણ ભૂખ ઠારવાની વ્યવસ્થા શૂન્ય, વન્યપ્રેમીઓનો વન વિભાગ પર પ્રહાર
બે દિવસમાં 3 સિંહના મોત, 35-40 સિંહોનું અસ્તિત્વ જોખમમાં: બાલુભાઈ હિરપરાનો ચોંકાવનારો ખુલાસો
અગ્ર ગુજરાત, ઉના
વિશ્વભરમાં પ્રખ્યાત ગીરના એશિયાઈ સિંહોનું અસ્તિત્વ આજે માનવ બેદરકારી અને વનવિભાગની ઘોર નિષ્ક્રિયતાના કારણે જોખમમાં મુકાઈ ગયું છે. ગીરગઢડાજામવાળા રોડ પર આવેલી સદાવાળી ધાર નજીક ગ્રામજનો દ્વારા બેરોકટોક મરણ પામેલા ઢોર અનેગામનોકચરોઠાલવવા માં આવી રહ્યો છે.ભૂખથી લાચાર બનેલા સિંહો દિવસો થી સડી ગયેલા, જીવાત પડી ગયેલા પશુઓનું માંસ ખાવા મજબૂર બનતા ગંભીર રોગનો શિકાર બની રહ્યા છે અને અકાળે મોતને ભેટી રહ્યા છે.
બાબરીયા-જશાધાર રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં વર્ષોથી ફાર્મ ધરાવતા વન્ય પ્રેમી બાલુભાઈ હિરપરાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે,છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આ પંથકમાં ત્રણેક સિંહોના મોત થયા છે. હાલ ફરેડા-ઝાખીયા વિસ્તારમાંથી ત્રણ સિંહને રેસ્ક્યૂકરીજશાધાર એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે બે સિંહ મોતને ભેટી ચૂક્યા છે. થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ, ઉમેદપરા વિસ્તારમાં હાલ 35 થી 40 સિંહોનો કાયમી વસવાટ છે અને આ તમામની સદા વાળી ધાર નજીક રોજિંદી અવર-જવર રહે છે. આ વિસ્તાર સંપૂર્ણજંગલ બોર્ડરને અડીને આવેલોહોવાથી સ્થિતિવધુગંભીરબની છે.
બાલુભાઈ હિરપરા વ્યથા ઠાલવતા કહે છે કે, સિંહ પોતે કરેલું મારણ પણ શાંતિથી ખાઈ શકતો નથી. ગામ માં સિંહ મારણ કરે એટલે લોકોના ટોળાભેગાથઈજાય. સિંહને ખલેલ પહોંચતા તે મારણ છોડીને જતો રહે છે. પછી ગામલોકો એ મરેલા પશુને ઉંચકીને ધાર પર ફેંકી દે છે. ચાર-પાંચ દિવસની ભૂખથી અશક્ત બનેલો સિંહ આખરે એ સડેલું, ઇતરી-જીવાત પડી ગયેલું માંસખાવા મજબૂર બને છે. તેમણે એક સિંહનો વીડિયો શેર કરતા જણાવ્યું કે, આ સિંહ જુઓ, ચાર-પાંચ દિવસની ભૂખ ના કારણે કેટલો અશક્ત અને કમજોર બનીને રોડ પર ચાલી રહ્યો છે. પૂરતો ખોરાક જ ન મળતો હોવાથીસિંહ ઇતરી જીવાત સામે લાચાર બની ગયો છે.
સડેલું માંસ ધીમું ઝેર કેવી રીતે મરી રહ્યા છે સિંહ?
વન્યજીવ નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે નબળા અને મરણ પામેલાપશુઓમાં ઇતરીનું પ્રમાણવધુ હોયછે.સડીગયેલું માંસ, તેમાં પડેલી ઇતરી અને જીવાત સિંહના શરીરમાં જતાં પેટના ગંભીર રોગો, લોહીનું ઇન્ફેક્શન, કુપોષણ અને રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે.પરિણામે સાવજ ધીમે ધીમે અશક્ત બની અકાળે મોતને ભેટે છે.
મરેલા પશુ નાખવા સામે પ્રતિબંધ મૂકવામાં આવે
ગામમાં થતા મારણમાં સિંહને ખલેલ ન પહોંચે તે માટે ગ્રામજનો માં સઘન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.મરેલા પશુઓના નિકાલ માટે દરેક ગામમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કેરકસ ડિસ્પોઝલ પિટ બનાવવામાં આવે.DCF, RFO સહિતના જવાબદાર અધિકારીઓ નીફરજમાંબેદરકારી બદલ ખાતાકીય તપાસ કરી કડક પગલાંલેવામાં આવે.સંવેદનશીલ વિસ્તારમાં 24×7 પેટ્રોલિંગ અને સિંહોનું હેલ્થ મોનિટરિંગ શરૂ કરવામાં આવે.
48 કલાકમાં 3 સિંહના મોત: છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું !!
બાબરીયા-જશાધાર રેન્જમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ માં ત્રણેક સિંહના મોત થયા હોવાનું બાલુભાઈ હિરપરા એ જણાવ્યું. ફરેડા-ઝાખીયાથી ત્રણ સિંહ રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડાયા, બે મરી ગયા થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ, ઉમેદપરા_ પંથકના 35-40 સિંહો રોજ સદાવાળી ધાર પર સડેલા ઢોર ખાવા મજબૂર છે.ઇતરી જીવાત સામે સાવજહારી રહ્યો છે. પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ AC ચેમ્બરમાંથી બહાર જ નીકળતા નથી અધિકારીઓ તમાશો જોવાનું બંધ કરે અને સ્થાનિક અધિકારીઓ સત્ય બોલતા શીખે, નહીંતર ગીરના સિંહો ઇતિહાસ બની જશે એવી લાગણી સાથે વન્યપ્રેમીઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.


