By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું

Editor
Last updated: 2026/08/24 at 3:31 PM
6 minutes ago
Share
રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું
SHARE

રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું

પૂર્વ CJI બી. આર. ગવઈ સહિત હાઇકોર્ટના ન્યાયાધીશોની ઉપસ્થિતિઃ ક્રિમિનલ ઇન્કવાયરી, ડિજિટલ એવિડન્સ, લેન્ડ રેવન્યુ કોડ અને એઆઈ જેવા વિષયો પર થયું મંથન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કાલાવડ રોડ સ્થિત આત્મીય કોલેજ ખાતે રવિવારે યોજાયેલા નેશનલ લીગલ સેમિનારમાં શહેર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વકીલો ઉમટી પડ્યા હતા. કાયદાના ક્ષેત્રમાં સતત બદલાઈ રહેલી જોગવાઈઓ, નવી ટેકનોલોજી અને ન્યાયિક પ્રક્રિયાના વિવિધ પાસાં અંગે વકીલોને સીધું દેશના અને રાજ્યના અનુભવી ધારાશાસ્ત્રીઓ તથા ન્યાયાધીશો પાસેથી માર્ગદર્શન મેળવવાની તક મળી હતી. દિવસભર ચાલેલા સેમિનારમાં કાનૂની વ્યવસાયની નૈતિકતા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ બાર એસોસિએશન દ્વારા આયોજિત આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ‘પ્રોફેશનલ એથિક્સ ઇન લીગલ પ્રેક્ટિસ’ વિષય પર વકીલોને માર્ગદર્શન આપતાં કાનૂની વ્યવસાયમાં નૈતિક મૂલ્યો, વ્યવસાયિક જવાબદારી અને ન્યાયિક વ્યવસ્થામાં વકીલની ભૂમિકા અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા હતા.
આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ એચ. ડી. સુથારની ઉપસ્થિતિ પણ સેમિનારનું મુખ્ય આકર્ષણ બની હતી. જસ્ટિસ એચ. ડી. સુથારે જામીન અરજી અને તેની કાનૂની કાર્યવાહી અંગે વકીલોને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ન્યાયિક પ્રક્રિયામાં જામીન સંબંધિત બાબતોને કેવી રીતે જોવામાં આવે છે અને કોર્ટ સમક્ષ રજૂઆત કરતી વખતે કયા મુદ્દાઓ મહત્વના બને છે તે અંગે તેમણે વિગતવાર સમજ આપી હતી.
સેમિનારમાં ગુજરાતના જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી સુધીરભાઈ નાણાવટી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે. જે. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તથા મહારાષ્ટ્રના સતિષ દેશમુખ, ઓરિસ્સાના ભક્ત ભૂષણ, ઉત્તરાખંડના ડી. કે. શર્મા, ઝારખંડના પ્રશાંત સિંઘ સહિતના કાયદા ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
સવારે 9 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી ચાલેલા આ સેમિનારમાં કાયદાના અલગ-અલગ વિષયો ઉપર સત્રો યોજાયા હતા. ખાસ કરીને સ્થાવર મિલકતના વ્યવહારોમાં રજિસ્ટ્રેશનનું મહત્વ, કાનૂની જરૂરિયાતો, ખરીદદારોના હિતોના રક્ષણ માટે જરૂરી કાયદાકીય સાવચેતી જેવા વિષયો ઉપર પણ વકીલોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જમીન-મિલકતના વ્યવહારોમાં કાયદાકીય પ્રક્રિયાની નાની ભૂલ પણ ભવિષ્યમાં વિવાદનું કારણ બની શકે છે ત્યારે આવા વ્યવહારોમાં જરૂરી સાવચેતી અંગે નિષ્ણાતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
ક્રિમિનલ ઇન્કવાયરી અને એફઆઈઆર નોંધાય તે પહેલાંની પ્રાથમિક તપાસનો વ્યાપ તથા કાયદાકીય પાસાઓ પણ સેમિનારમાં ચર્ચાનો વિષય બન્યા હતા. ગુનાની તપાસ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું પાલન, પુરાવાની વિશ્વસનીયતા અને તપાસના વિવિધ તબક્કાઓ અંગે વકીલોને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને ‘ડિકોડિંગ ડિજિટલ એવિડન્સ અન્ડર બીએનએસએસ એન્ડ બીએસએ’ જેવા વિષય પર પણ વિશેષ સત્ર યોજાયું હતું. મોબાઇલ, ડિજિટલ ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી મળતા પુરાવાનું કોર્ટમાં મહત્વ, તેની કાયદાકીય માન્યતા અને આવા પુરાવાઓને રજૂ કરતી વખતે રાખવાની સાવચેતી અંગે ચર્ચા થઈ હતી.
ટ્રાયલ કોર્ટમાં ડેટા પ્રાઇવસીનું મહત્વ અને કાનૂની કાર્યવાહી દરમિયાન વ્યક્તિગત માહિતી તથા ડિજિટલ ડેટાના રક્ષણ જેવા મુદ્દાઓ પણ નિષ્ણાતોએ સમજાવ્યા હતા. સાથે સાથે ‘એડવોકેસી ઇન એઆઈ એજ’ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વકીલાતનું બદલાતું સ્વરૂપ પણ ચર્ચાયું હતું. ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે વકીલો માટે ઊભા થતા નવા પડકારો અને તકો અંગે સેમિનારમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, આત્મીય સંસ્થાના સંતો, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેમિનાર દરમિયાન વકીલોમાં પણ કાયદાના નવા પ્રવાહો અંગે ભારે રસ જોવા મળ્યો હતો.
નેશનલ લીગલ સેમિનારને સફળ બનાવવા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નીલેશ પટેલ, ઉપપ્રમુખ એસ. કે. જાડેજા, જયેન્દ્ર ગોંડલીયા, પ્રગતિબેન માંકડીયા, કેતન મંડ સહિતના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોએ મહત્વની કામગીરી સંભાળી હતી. સ્તવન મેહતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા, દીપ વ્યાસ, નીશાબેન લુણાગરીયા, મીનલબેન સોનપાલ, હીરલબેન જોષી, રક્ષાબેન ઉપાધ્યાય, હસમુખ સાગઠીયા સહિતના સભ્યોએ પણ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ સેમિનાર માત્ર કાયદાના પુસ્તકી જ્ઞાન પૂરતો સીમિત ન રહેતા વકીલોને ન્યાયિક પ્રક્રિયાના વ્યવહારુ પાસાં, બદલાતા કાયદા, ડિજિટલ પુરાવા અને ભવિષ્યમાં એઆઈના વધતા પ્રભાવ જેવા સમકાલીન મુદ્દાઓ સાથે જોડતો રહ્યો હતો. જેના કારણે રાજકોટમાં યોજાયેલો આ રાષ્ટ્રીય કક્ષાનો કાનૂની સેમિનાર વકીલ આલમ માટે જ્ઞાનવર્ધક અને ઉપયોગી બની રહ્યો હતો.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ
રાજકોટ

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

Editor By Editor 6 days ago
કાલાવડ રોડ પરથી 54.73 ગ્રામ મેફેડ્રોન સાથે ગોકુલનગરનો શખ્સ ઝડપાયો
ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર અને ગુજરાતી ભવન દ્વારા શાંતિભાઈ આચાર્ય પર પરિસંવાદ યોજાયો
વોર્ડ નં.૧૬માં ૬૬૬ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૬ લોકોના બ્લડ સેમ્પલ લેવાયા
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.3૯.૬3 કરોડના ૪3 કામોને લીલીઝંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?