નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે
સમાજના બંધુઓ માટે નવરાત્રી, પારિવારીક, ધાર્મિક સહિતના પ્રવાસો યોજાશે : હોદેદારો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬ના રોજથી એનએનવીએસ કલબની શુભ શરૂઆત કરવામાં આવશે. કલબમાં જોડાયેલ તમામ વણિક બંધુ માટે વર્ષ દરમિયાન નવરાત્રી, ફેમીલી ટૂર, ધાર્મિક દર્શન યાત્રા, અબોલજીવ અન્નદાન કાર્ય, સ્નેહમિલન, મનોરંજન, મ્યુઝીકલ પાર્ટી, ફન પાર્ટી, ડીજે પાર્ટી, શૈક્ષણિક તથા મેડિકલ અવેરનેસ બાળકો માટે સેમિનાર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. એનએનવીએસ કલબ ૨૦૨૬ ૯ દિવસ નવરાત્રી કલબના મેમ્બર માટે સંપૂર્ણ પારિવારીક એન્ટ્રી ફ્રી કરવામાં આવશે.
વણિક સમાજની માંગને ધ્યાનમાં રાખી મનોરંજન તરફ પણ જવા જઇ રહ્યા છીએ જેમાં આવનારી તા.૧૬-૫-૨૬ના શનિવારના રોજ જીરાવાલા પાર્શ્વનાથ દાદા દર્શનથી શુભ શરૂઆત કરવા જઇ રહ્યા છીએ. જેમાં મનોરંજનની દુનિયા અને ખર્ચાળ કલબ જે ચાલે એની સામે ફકત ટોકન દરે ભારતની પ્રથમ એનએનવીએસ કલબ શરૂ થવા જઇ રહી છે.
જેમાં રાજકોટથી શરૂઆત કરીએ છીએ અને આગામી દિવસમાં જિલ્લામાં ૫૦૦ પરિવાર સાથે અન્ય જિલ્લામાં આવકાર્ય શરૂઆત કરીશું. જેનું મુખ્ય સંચાલન સંગઠન સંસ્થા દ્વારા કરવામાં આવશે. જેમના નીતિ નિયમ મુજબ શરૂઆત સાથે કાર્યક્રમ ગોઠવાશે. તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા પ્રશાંતભાઇ શાહ, યોગેશભાઇ બાવીસી, સ્વીટીબેન મહેતા, જીજ્ઞેશભાઇ વાગડીયા, નમ્રતાબેન શાહ, જસ્મીનભાઇ દેસાઇ, રમીલાબેન શાહ, દીપાલીબેન વોરા, બીનાબેન શેઠ, હેમાબેન દેસાઇ, કેતનભાઇ દોશી, મયુરભાઇ શાહ, મહાવીરભાઇ જૈન, દિનેશભાઇ મોદી, હીનાબેન દોશી, પાયલબેન વખારીયાએ જણાવ્યું હતું.


