By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: T20 નહીં રમાય’ કહેનારા નિરંજન શાહને 2007માં ધોનીએ આપ્યો જવાબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

T20 નહીં રમાય’ કહેનારા નિરંજન શાહને 2007માં ધોનીએ આપ્યો જવાબ

Editor
Last updated: 2026/08/17 at 4:42 PM
17 minutes ago
Share
T20 નહીં રમાય’ કહેનારા નિરંજન શાહને 2007માં ધોનીએ આપ્યો જવાબ
SHARE

SCA મામલે ફરી ગરમાયો વિવાદ

T20 નહીં રમાય’ કહેનારા નિરંજન શાહને 2007માં ધોનીએ આપ્યો જવાબ

નિરંજન શાહ સામે સહદેવસિંહ ચુડાસમાએ ખોલ્યો જૂનો હિસાબ ; ઇન્ડિયા નેવર પ્લેડ ટુ-20 થી લઈને 2007ના વર્લ્ડકપ સુધીની કહાની ઉછળી; નિર્ણયશક્તિ, દીર્ઘદૃષ્ટિ અને ક્રિકેટ નોલેજ સામે ઉઠ્યા સવાલો

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ, પારદર્શિતા અને નિર્ણય પ્રક્રિયાને લઈને ચાલી રહેલો વિવાદ હવે માત્ર સ્થાનિક સ્તરનો રહ્યો નથી. એસોસિએશનના વહીવટ સામે સતત સવાલો ઉઠાવી રહેલા જામનગર ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમાએ હવે SCA સાથે સંકળાયેલા દિગ્ગજ નિરંજન શાહના ભૂતકાળના એક નિર્ણયને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. ચુડાસમાના આક્ષેપ મુજબ, વર્ષ 2006માં જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં T20 ફોર્મેટને આગળ વધારવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તે સમયના BCCI સેક્રેટરી નિરંજન શાહે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, તે સમયે નિરંજન શાહનું વલણ એવું હતું કે ભારતે ક્યારેય T20 રમ્યું નથી અને જો 20-20 ઓવરની ક્રિકેટ રમાડવાની હોય તો 10-10, 5-5 કે 1-1 ઓવરની પણ ટુર્નામેન્ટ રમાડવી જોઈએ! જોકે, ત્યારબાદ ક્રિકેટ જગતમાં T20 ફોર્મેટને મળેલા જબરદસ્ત પ્રતિસાદે આ સમગ્ર ઘટનાને આજે ફરી યાદ અપાવી છે.
ચુડાસમાના દાવા મુજબ, T20 ફોર્મેટને લઈને દુબઈમાં વિવિધ દેશોના ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. ટુર્નામેન્ટ યોજવા અંગે મતદાન કરવામાં આવ્યું અને બહુમતી દેશોએ T20 ફોર્મેટને મંજૂરી આપી. આ નિર્ણય બાદ ભારતે પણ આ નવા ફોર્મેટમાં ટીમ તૈયાર કરી અને મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ 2007માં યોજાયેલા પ્રથમ ICC T20 વર્લ્ડકપમાં ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો. અહીંથી જ ચુડાસમાનો સવાલ ઊભો થાય છે, કે જે ફોર્મેટનો શરૂઆતમાં વિરોધ કરવામાં આવ્યો હતો, એ જ ફોર્મેટે થોડા જ સમયમાં ભારતીય ક્રિકેટને નવી ઓળખ આપી દીધી. ભારતે 2007માં વર્લ્ડકપ જીત્યો અને T20 ક્રિકેટ વિશ્વભરમાં લોકપ્રિય બન્યું. આજે T20 ક્રિકેટ ક્રિકેટ જગતના સૌથી મોટા અને આર્થિક રીતે સૌથી શક્તિશાળી ફોર્મેટ પૈકીનું એક બની ગયું છે.
ચુડાસમા આ સમગ્ર ઘટનાને ટાંકીને નિરંજન શાહની નિર્ણયશક્તિ અને ક્રિકેટના ભવિષ્યને પારખવાની ક્ષમતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે, જ્યારે સમગ્ર વિશ્વ નવા ફોર્મેટ તરફ આગળ વધવા તૈયાર હતું ત્યારે તેનો વિરોધ કરવો અને ત્યારબાદ એ જ નિર્ણયને સ્વીકારવો એ ગંભીર ચર્ચાનો વિષય છે.
હાલમાં SCAના વહીવટને લઈને સહદેવસિંહ ચુડાસમા દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે એસોસિએશનની કામગીરીમાં પારદર્શિતાનો અભાવ છે અને વર્ષોથી ચોક્કસ પરિવારનું પ્રભુત્વ જોવા મળે છે. તેઓ ખાસ કરીને શાહ પરિવારની લાંબા સમયથી ચાલતી સત્તાકીય પકડ અને નિર્ણય પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. ચુડાસમાએ અગાઉ પણ SCAમાં ચૂંટાયેલા કે સંકળાયેલા અન્ય હોદ્દેદારોની ભૂમિકા, વિવિધ કમિટીઓની કાર્યપદ્ધતિ, ક્રિકેટના વિકાસ માટેના આયોજન અને નાણાકીય વ્યવહાર અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપો મુજબ, સંસ્થામાં નિર્ણય લેવાની પ્રક્રિયા કેટલી પારદર્શક છે અને સભ્યોને વાસ્તવિક રીતે કેટલો અવકાશ મળે છે તે તપાસવાની જરૂર છે.
આક્ષેપોનો અંત અહીં અટકતો નથી. SCAના નાણાકીય વ્યવહાર, ઓફિસના ખર્ચ, પગાર અને વિવિધ બિલો અંગે પણ અગાઉથી સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જોકે આ તમામ આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો સ્પષ્ટ અને દસ્તાવેજી જવાબ મહત્વનો બને છે. કારણ કે ક્રિકેટ જેવી સંસ્થામાં માત્ર મેદાન પરના પ્રદર્શનથી નહીં પરંતુ વહીવટી પારદર્શિતા અને જવાબદારીથી પણ વિશ્વાસ ઊભો થાય છે. SCA વિવાદનો સૌથી ગંભીર મુદ્દો ખેલાડીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. ચુડાસમાનો દાવો છે કે જો સંસ્થાકીય વિવાદો, આંતરિક રાજકારણ અને વહીવટી ખેંચતાણમાં ક્રિકેટનો મૂળ હેતુ પાછળ રહી જાય તો તેની સીધી અસર નવી પેઢીના ક્રિકેટરો પર પડે છે.
ખાસ કરીને અંડર-16, અંડર-17 અને અંડર-19 સ્તરની સ્પર્ધાઓ, ગ્રાસરૂટ ક્રિકેટ, તાલુકા-જિલ્લા સ્તરની પ્રતિભાઓને તક અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટના માળખાના વિકાસ અંગે તેમણે અગાઉ સવાલો ઉઠાવ્યા છે. પોરબંદર સહિતના ક્રિકેટ મેદાનો અને સ્થાનિક ક્રિકેટના વિકાસ અંગે પણ ચર્ચા થઈ ચૂકી છે. આથી હવે સવાલ માત્ર એટલો નથી કે SCAમાં કોણ નિર્ણય લે છે. મોટો સવાલ એ છે કે આ નિર્ણયો સૌરાષ્ટ્ર ક્રિકેટના આગામી 10-20 વર્ષને ધ્યાનમાં રાખીને લેવાય છે કે પછી માત્ર તાત્કાલિક વહીવટી હિતોને ધ્યાનમાં રાખીને?
ચુડાસમાના તાજા નિવેદનથી એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે જે, ક્રિકેટ સંસ્થાના લાંબા સમયના સંચાલક પાસે રમતના બદલાતા સ્વરૂપને ઓળખવાની અને ભવિષ્યની દિશા પારખવાની ક્ષમતા કેટલી હોવી જોઈએ?T20નો જૂનો પ્રસંગ આ ચર્ચાનું ઉદાહરણ બની રહ્યો છે. એક સમયના વિરોધ છતાં એ જ ફોર્મેટે આજે વિશ્વ ક્રિકેટનું સ્વરૂપ બદલી નાખ્યું છે. એટલે ચુડાસમાનો સવાલ છે કે વિશ્વ ક્રિકેટ જે દિશામાં આગળ વધે છે તે દિશા સમયસર ઓળખવાની દીર્ઘદૃષ્ટિ સંસ્થાના નિર્ણયકર્તાઓમાં છે કે નહીં? આ મુદ્દે નિરંજન શાહનું પક્ષ, તે સમયના નિર્ણયનો સંપૂર્ણ સંદર્ભ અને ઉપલબ્ધ દસ્તાવેજો સામે આવે તો જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે. પરંતુ હાલ તો એક જૂનો T20 પ્રસંગ SCAના વર્તમાન વહીવટી વિવાદ વચ્ચે ફરી ધગધગતો મુદ્દો બની ગયો છે.
એક તરફ ચુડાસમા SCAના વર્તમાન વહીવટ સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ હવે ચર્ચા એ દિશામાં વળી છે કે સંસ્થાને લાંબા સમય સુધી ચલાવનારાઓના નિર્ણયોનું મૂલ્યાંકન પણ થવું જોઈએ કે નહીં?
ક્રિકેટમાં બોલ એક વખત હાથમાંથી છૂટે પછી પાછો ખેંચી શકાતો નથી. એ જ રીતે સંસ્થામાં લેવાયેલા નિર્ણયો પણ ભવિષ્ય પર અસર કરે છે. હવે SCA સામેનો સૌથી મોટો પડકાર એ છે કે વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને ક્રિકેટના હિતને કેન્દ્રસ્થાને રાખીને નિર્ણય લેવાય છે કે નહીં..તેનો જવાબ ક્રિકેટ જગતને જોઈએ છે.

2006નું T20 પ્રકરણ ફરી કેમ ચર્ચામાં?

સહદેવસિંહ ચુડાસમાએ વર્ષ 2006ના એક ઘટનાક્રમને ફરી ચર્ચામાં લાવ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, તે સમયે T20 ક્રિકેટના પ્રસ્તાવનો નિરંજન શાહે વિરોધ કર્યો હતો. ‘ઇન્ડિયા નેવર પ્લેડ ટુ-20’ જેવા વલણ સાથે નવા ફોર્મેટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા એવો ચુડાસમાનો દાવો છે. જોકે થોડા જ સમયમાં ક્રિકેટ જગતે T20ને સ્વીકારી લીધું અને 2007માં ભારતે પ્રથમ T20 વર્લ્ડકપ જીતી લીધો. આ ઘટનાને ટાંકીને હવે નિર્ણયશક્તિ અને ભવિષ્યની રમતને પારખવાની ક્ષમતા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.

દુબઈની બેઠક અને મતદાનની વાત

ચુડાસમાના જણાવ્યા મુજબ T20 ફોર્મેટને લઈને દુબઈમાં વિવિધ દેશોની ક્રિકેટ સંસ્થાઓની બેઠક મળી હતી. નવા ફોર્મેટને આગળ વધારવો કે નહીં તે અંગે મતદાન થયું હતું અને બહુમતી દ્વારા તેને મંજૂરી મળી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં ચુડાસમા કહે છે કે શરૂઆતમાં વિરોધ છતાં અંતે નિર્ણયને સ્વીકારવો પડ્યો. જોકે આ દાવાની સચોટતા અને તે સમયના સત્તાવાર રેકોર્ડ સામે આવે તો સમગ્ર ઘટનાક્રમનું વધુ સ્પષ્ટ ચિત્ર મળી શકે. હાલ આ મુદ્દો SCAના વહીવટ સામે ચાલી રહેલી લડતમાં નવો રાજકીય-ક્રિકેટિંગ મુદ્દો બન્યો છે.

ધોની આવ્યો અને T20નો રંગ જ બદલાઈ ગયો!

2007ના T20 વર્લ્ડકપમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ જીતે માત્ર ભારતીય ટીમને ટ્રોફી અપાવી નહોતી, પરંતુ દેશમાં T20 ક્રિકેટ માટે નવી જ લોકપ્રિયતા ઊભી કરી હતી. જે ફોર્મેટને શરૂઆતમાં ઘણા લોકો શંકાની નજરે જોતા હતા તે થોડા વર્ષોમાં વિશ્વ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સામેલ થઈ ગયું. આજે T20 લીગ, આંતરરાષ્ટ્રીય T20 અને ખાસ કરીને IPLએ ક્રિકેટના અર્થતંત્રને પણ નવી દિશા આપી છે. આ જ પરિવર્તનને ચુડાસમા નિરંજન શાહના જૂના વલણ સાથે જોડીને સવાલ ઉઠાવી રહ્યા છે.

SCAમાં પરિવારવાદનો આક્ષેપ, જવાબદારી કોની?

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ અંગે સહદેવસિંહ ચુડાસમા લાંબા સમયથી સવાલો ઉઠાવી રહ્યા છે. તેમનો મુખ્ય આક્ષેપ છે કે SCAમાં વર્ષોથી ચોક્કસ પરિવારનું પ્રભુત્વ રહ્યું છે અને મહત્વના નિર્ણયો પર મર્યાદિત લોકોની અસર જોવા મળે છે. કમિટીઓની વાસ્તવિક ભૂમિકા, સભ્યોની ભાગીદારી અને નિર્ણય પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે. આક્ષેપો ગંભીર હોવાથી SCA તરફથી દસ્તાવેજી અને સ્પષ્ટ જવાબ આવે તો જ વિવાદનો સાચો અંત આવી શકે. ક્રિકેટ જગતની નજર હવે આ જ જવાબ પર છે.

કરોડોના વ્યવહારોની ચર્ચા, હિસાબ જાહેર થશે?

SCAના નાણાકીય વ્યવહાર અંગે અગાઉથી અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. ઓફિસના ખર્ચથી લઈને પગાર, વિવિધ બિલો અને બેન્ક ખાતાઓમાં રહેલા નાણાં અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જોકે આવા ગંભીર આક્ષેપો સામે માત્ર રાજકીય કે મૌખિક નિવેદન પૂરતું નથી,  સત્તાવાર ઓડિટ, હિસાબી દસ્તાવેજો અને પારદર્શક ખુલાસો જ સત્ય બહાર લાવી શકે. જો SCA પોતાના તમામ નાણાકીય વ્યવહારો અને ખર્ચની વિગતો જાહેર કરે તો વિવાદને પૂર્ણવિરામ મળી શકે. નહીં તો સવાલો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

અંડર-16થી અંડર-19 સુધીના ખેલાડીઓનું શું?

SCA અંગેના વિવાદમાં સૌથી મહત્વનો પ્રશ્ન નવી પેઢીના ક્રિકેટરોનો છે. સંસ્થાકીય ખેંચતાણ કે વહીવટી વિવાદની સીધી અસર ગ્રાસરૂટ ક્રિકેટ પર થવી ન જોઈએ. અંડર-16, અંડર-17 અને અંડર-19 સ્તરની સ્પર્ધાઓ, યોગ્ય મેદાનો, કોચિંગ, પસંદગી પ્રક્રિયા અને પ્રતિભાશાળી ખેલાડીઓને સમાન તક, આ બધું કોઈપણ ક્રિકેટ એસોસિએશનની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. ચુડાસમા અગાઉથી આ બાબતો અંગે સવાલો ઉઠાવતા આવ્યા છે. હવે SCAએ બતાવવું પડશે કે આગામી પેઢી માટે તેનું વિઝન શું છે.

પોરબંદરથી સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારો સુધી નજર ક્યારે?

સૌરાષ્ટ્રમાં ક્રિકેટ માત્ર રાજકોટ સુધી સીમિત નથી. જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અસંખ્ય પ્રતિભાઓ ક્રિકેટમાં આગળ આવવા માટે તકોની રાહ જોઈ રહી છે. મેદાનો, સ્થાનિક ટુર્નામેન્ટ, વયજૂથની સ્પર્ધાઓ અને સારા કોચિંગનું નેટવર્ક જેટલું મજબૂત હશે તેટલું સૌરાષ્ટ્રનું ક્રિકેટ મજબૂત બનશે. SCAના વહીવટ અંગે ચાલી રહેલી ચર્ચામાં આ મૂળભૂત મુદ્દો સૌથી મહત્વનો છે. સંસ્થાનો ખરો વિકાસ ઓફિસથી નહીં, મેદાન પર ઊભી થતી નવી પ્રતિભાથી માપવો જોઈએ.

હવે સવાલ નિરંજન શાહના ‘ક્રિકેટ વિઝન’નો!

સહદેવસિંહ ચુડાસમાના તાજા નિવેદન બાદ ચર્ચાનો કેન્દ્ર માત્ર SCAનો વહીવટ રહ્યો નથી. હવે નિરંજન શાહના ક્રિકેટ વિઝન અને નિર્ણયશક્તિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. T20ના વિરોધનો જૂનો પ્રસંગ ટાંકીને ચુડાસમા પૂછે છે કે બદલાતી ક્રિકેટને સમયસર ઓળખવાની દીર્ઘદૃષ્ટિ હતી કે નહીં? જોકે કોઈ વ્યક્તિના ક્રિકેટ જ્ઞાન અંગે અંતિમ નિર્ણય માત્ર એક ઘટનાના આધારે ન લઈ શકાય. પરંતુ લાંબા સમયથી સત્તા અને વહીવટ સાથે જોડાયેલા કોઈપણ હોદ્દેદારના નિર્ણયોનું જાહેર મૂલ્યાંકન થવું સ્વસ્થ સંસ્થાકીય વ્યવસ્થાનો ભાગ છે.

You Might Also Like

વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી

ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના વાડાસડામાં ખેતરના મકાનમાં ચાલતો જુગારનો અખાડો પકડાયો
ગુજરાત

જેતપુરના વાડાસડામાં ખેતરના મકાનમાં ચાલતો જુગારનો અખાડો પકડાયો

Editor By Editor 3 days ago
જાફરાબાદના કાગવદર ગામમાં TC પર ચડેલા દિપડાનું વીજશોકથી મોત
કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી
‘અગ્ર ગુજરાત’નો છગ્ગો સીધો IPLના દરબારમાં..
સ્વતંત્રતા દિવસ નિમિત્તે ત્રંબાના ત્રિવેણી ઘાટ ખાતે ‘ક્લીનઅપ ગ્રુપ રાજકોટ’નું સ્વચ્છતા અભિયાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?