સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે UPSC-GPSC ફ્રી ગાઇડન્સ સેમિનાર
સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે : વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ટ્રસ્ટ કરાયેલું આયોજન : સંસ્થાના પ્રતિનિધિઓ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા ચેરમેન નરેશભાઇ પટેલ તથા ટ્રસ્ટીઓના સીધા માર્ગદર્શન હેઠળ ૨૦૧૦થી, યુપીએસસી, જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વગો નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના લોકો માટે ચાલી રહેલ છે અને અત્યાર સુધી આશરે ૨૫૦૦થી વધારે યુવક-યુવતીઓ સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરીમાં સેવારત છે. ત્યારે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા નિષ્ણાંત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સર્વ સમાજના ધો.૧૨ પાસ તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી-જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે ફ્રી સેમિનારનું તા.૧૭-૫-૨૦૨૬ને રવિવારના રોજ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, ન્યુ ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી, રાજકોટ ખાતે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન યોજવામાં આવેલ છે.
આ માર્ગદર્શક સેમિનારમાં ઉચ્ચ અધિકારીઓ હેતલબેન પટેલ (ડીસીપી રાજકોટ શહેર), ભાવિનભાઇ કથીરિયા (ડે.કલેકટર પોરબંદર), નિલેશભાઇ ઘેટીયા (પોલીસ ઇન્સ્પેકટર), તેજ બાણુગારીયા (સર્કલ ઓફિસર રાજકોટ તાલુકા) દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવનાર છે. જેમાં સિર્વિસીઝની તૈયારી શરૂ કરવાનો યોગ્ય સમય કયો? શા માટે કોલેજ સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી જોઇએ? યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાની તૈયારી સાથે થઇ શકે કે અલગ? સિવિલ સર્વિસીઝમાં કયાં હોદ્દાઓનો સમાવેશ થાય? વગેરે જેવા પ્રશ્નોનું સમાધાન આ માર્ગદર્શન સેમિનારમાં મળશે. તે ઉપરાંત સૌ વિદ્યાર્થીઓને માહિતી પુસ્તીકા તેમજ યુપીએસસી-જીપીએસસી અભ્યાસક્રમનો સિલેબસ પણ આપવામાં આવશે. આ નિ:શુલ્ક માર્ગદર્શક સેમિનારમાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઉપસ્થિત રહેવા આમંત્રીત કરવામાં આવ્યા છે. સેમિનારમાં ઉપસ્થિત રહેવા માટે મો.નં.૭૦૬૯૯ ૨૯૨૯૫, ૭૪૮૬૦ 3૯3૪૪ નંબર પર વિદ્યાર્થીનું પુરૂ નામ અને યુપીએસસી-જીપીએસસી સેમિનાર લખીને વ્હોટસએપ મેસેજ કરવા જણાવાયું છે.
વધુમાં સરકારી ભરતીઓના સંદર્ભે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ અર્થે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજમાં રાહત દરે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તાલીમ ખૂબ જ આધુનિક સુવિધા સાથે સમૃધ્ધ લાઇબ્રેરી, તેમજ આધુનિક સગવડ સાથેના કલાસરૂપ ફૂલ ટાઇમ રીડીંગ રૂમ તેમજ ફૂલ સિકયોરીટી સાથેની ઇમારતમાં ચાલી રહ્યાં છે. આજે જયારે ગુજરાતના યુવાઓમાં સરકારી ભરતી પ્રત્યે જાગૃતિ વધી રહી છે. ત્યારે પણ એ પ્રશ્ન તો હજુ કાયમ રહે જ છે કે નાની વયથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની પધ્ધતિસર તૈયારી કેવી રીતે શરૂ કરવી? તેના ઉકેલ સ્વરૂપે હવે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટ લઇ આવ્યું છે એક વિશેષ ઉપક્રમ કે જેમાં ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલના શિક્ષણની સાથે જ વિદ્યાર્થી નાની વયની સરકારી ભરતીની તબક્કાવાર તૈયારી કરી શકશે. કે જેમાં વિદ્યાર્થીને વધારાનો કોઇપણ શૈક્ષણિક બોજો ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવેલ છે. શ્રી સરદાર પટેલ કલ્ચરલ, ફાઉન્ડેશન રાજકોટ સંસ્થા દ્વારા ખૂબ જ રાહતદરે ઓનલાઇન માધ્યમમાં વિદ્યાર્થીઓ હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ મેળવી શકશે. આ કોર્ષમાં વિદ્યાર્થીને લેકચર્સ, બુક સેટ, ટેસ્ટ તેમજ ટેસ્ટ સોલ્યુશન પણ મળી રહેશે. નોંધનીય છે કે આ ઓનલાઇન કોર્ષ ગુજરાતી અને ઇંગ્લીશ એમ બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે. વધુ માહિતી માટે મો.૭૦૬૯૯નો સંપર્ક કરવા ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા સંસ્થાના મંત્રી જી.એલ.રામાણી, સહમંત્રી વિજયભાઇ શિયાણી, એકેડમીક સભ્ય પિનલબેન સાવલીયા, એકેડમીક મેનેજર ભાલાળા નિરવભાઇએ જણાવ્યું હતું.


