SBI પેન્શનર્સ એસોસિએશનની મંથલી મીટીંગ સફળતાપૂર્વક સંપન્ન
૭૦ વર્ષ પૂર્ણ કરનારા ૭૫ વડીલોની વડીલ વંદના, દાંપત્યજીવનના સફળ ૫૦ વર્ષ પૂર્ણ કરનારા ૨૫ દંપતિઓનું સન્માન
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજયના ૧૭ હજારથી વધુ પેન્શનરોના બનેલ બિનરાજકીય સંગઠન એસબીઆઇ પેન્શનર્સ એસોસીએશનના રાજકોટ યુનિટની મંથલી મીટીંગ રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના એસી હોલમાં ફેડરેશન લીડર અને સંગઠનના સર્કલના સુકાની કોમરેડ કમાલભાઇ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે.
મીટીંગમાં જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરનાર ૭૫ વડીલ પેન્શનર્સ સભ્ય ભાઇઓ-બહેનોનું કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી, સ્મૃતિભેટ આપી તેમજ મીઠું મોઢુ કરાવીને સન્માન કરવામાં આવેલ અને નિરામય જીવન સદા બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કોઇપણ કારણોસર મીટીંગમાં ન આવી શકેલ મેમ્બરોને હવે પછી યોજાનાર મીટીંગમાં સન્માનવામાં આવશે.
સફળ અને પ્રસન્ન દાંપત્ય જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરનારા સંગઠનના ૨૫ સભ્ય દંપતિઓનું વંદન કરી, કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપી તેમજ મીઠું મોઢુ કરાવી તાળીઓના ગડગડાટ વચ્ચે બહુમાન કરવામાં આવેલ અને જીવન સદા નિરામય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ હતી.
પેન્શનર્સ એસોસીએશનના સભ્ય હોય અને પોતે વિશિષ્ટ નોંધપાત્ર યોગદાન આપેલ હોય કે આપી રહેલ હોય તેવા ઘરદીવડાઓ જે.એ.વ્યાસ, કે.સી.પંડયા, જયેશ શેઠ તેમજ કવિ પ્રકાશ હોથીનું ફેડરેશન લીડર કોમરેલ કમાલ કાદરીના હસ્તે વિશિષ્ટ સેવા બદલ અભિવાદન કરવામાં આવેલ. આ ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી પેન્શનર્સ એસોસીએશનના કમિટી મેમ્બર તરીકે સભ્ય કલ્યાણ માટે નોંધપાત્ર પ્રદાન આપનાર ડે.જનરલ સેક્રેટરી તેમજ કમિટી મેમ્બરો શરદભાઇ દવે, દક્ષિણભાઇ જોશી, શિરીષ કચ્છી, પરસોત્તમ મંગલપરા, જીતુ ગણાત્રા, ધીરેન માંકડ વગેરેનું પણ કમાલ કાદરીના હસ્તે બહુમાન કરવામાં આવેલ.
પેન્શનરોને આરોગ્ય વિષય માહિતી મળી રહે તે માટે શહેરની સ્માઇલ કેર હોસ્પિટલના સહયોગથી ડો.વિરેન પટેલ અને ડો.નીલમ પટેલે સભ્યોને ડેન્ટલ અને સ્કીનના રોગ અંગે સવિસ્તર માહિતી આપેલ તેમજ પોતાની હોસ્પિટલમાં ફ્રી નિદાન પણ કરી આપવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્રમમાં કોમરેડ અરવિંદ બથવાર, સુભાષ પટેલ, પવન શર્મા, રાજેશ કચોટ, સુખદેવસિંહ, મનુભાઇ કનેરીયા, અશોક ભટ્ટ, જયેશ કાત્રોડીયા, અજીત ચૌહાણ, ભરત ત્રિવેદી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અનુપમ દોશીએ કરેલ. અંતમાં આભારવિધિ શિરીષ કચ્છીએ કરી હતી. સમગ્ર આયોજન શાનદાર, યાદગાર,યશસ્વી બની રહે તે માટે શરદભાઇ દવેના માર્ગદર્શન હેઠળ, કર્મઠ સમર્પિત પેન્શનર્સ ભાઇઓ અનુપમ દોશી, દક્ષિણ જોશી, શિરીષ કચ્છી, કે.સી.પંડયા, જીતુ ગણાત્રા, પરસોત્તમ મંગલપરા, પરેશ જોશી, દિનેશ કોટેચા, મુકુંદ લીંબડ, વિજય ચાવડા, જીતેન્દ્ર મલકાન, જયેશ શાહ, એસ.પી.મહેતા, દિનેશ પારેખ, હર્ષદ મકવાણા, જનાર્દન આચાર્ય, મુકેશ પારેખ, જયેશ શેઠ, કે.જે.માવાણી, નયન મહેતા, હેમંત ઘેલાણી, ધીરૂભાઇ ખીમસુરીયા, રાજુભાઇ પરમાર, વિજય ધોળકીયા, રમેશ શિશાંગીયા, અશ્વિન ત્રિવેદી, વિપુલ કોટેચા, પંકજ ગોહેલ સહિતના કાર્યરત રહ્યા હતાં.


