By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    22 minutes ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય

Editor
Last updated: 2026/05/09 at 5:13 PM
2 minutes ago
Share
ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય
SHARE

ST નિગમમાં રોજગારીનો મોટો વરસાદ : ૯ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનો નિર્ણય

નિગમ દ્વારા ૨૨૬૩ ડ્રાઈવર, ૪૪૮૫ કંડક્ટર અને ૨૩૪૪ હેલ્પરની નવી ભરતી કરાશે ; કોરોના વોરિયર્સના પરિવારોને પણ સહાય

અગ્ર ગુજરાત, અમદાવાદ

અમદાવાદમાં ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બને અને યુવાઓને રોજગારીની નવી તક મળે તે હેતુથી એસટી નિગમમાં મોટા પાયે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી સમયમાં કુલ ૯૦૯૨ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર જેવી વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, નિગમ દ્વારા ૨૨૬૩ ડ્રાઈવર, ૪૪૮૫ કંડક્ટર અને ૨૩૪૪ હેલ્પરની નવી જગ્યાઓ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ભરતી ન થતાં અનેક ડેપોમાં સ્ટાફની અછત અનુભવાઈ રહી હતી, જેના કારણે બસ વ્યવસ્થા અને મુસાફરોને મળતી સેવાઓ પર અસર પડી રહી હતી. હવે નવી ભરતી થવાથી એસટીની કામગીરી વધુ સુચારૂ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તાજેતરમાં યોજાયેલી GSRTCની ૬૬૭મી બોર્ડ બેઠકમાં મુસાફરોની સુવિધા, કર્મચારીઓના હિત અને નિગમની કાર્યક્ષમતા વધારવા સંબંધિત અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટરની ખાલી જગ્યાઓને કારણે ઉભી થયેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના આધારે ભરતી પ્રક્રિયા ઝડપી બને તે માટે નિયમોમાં પણ જરૂરી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને નિગમનું માનવું છે કે નવી ભરતી થવાથી માત્ર બેરોજગાર યુવાઓને નોકરી મળશે એટલું જ નહીં, પરંતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એસટી બસોની સેવા વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બની શકશે. ખાસ કરીને લાંબા રૂટ પર બસો ચલાવવામાં સ્ટાફની અછતને કારણે થતી મુશ્કેલીઓમાં રાહત મળશે.
આ બેઠકમાં કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન ફરજ બજાવતા અને બાદમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા એસટી નિગમના ૧૧૮ અધિકારી-કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમના પરિવારજનોને પ્રતિ કર્મચારી ૨૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી દરમિયાન એસટી નિગમ દ્વારા અનેક ઈમર્જન્સી સેવાઓ સંચાલિત કરવામાં આવી હતી. તે સમયે ઘણા કર્મચારીઓએ પોતાની જાનની પરવા કર્યા વિના ફરજ બજાવી હતી. પરંતુ મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને વળતર અંગેનો પ્રશ્ન લાંબા સમયથી અટવાયેલો હતો. હવે આ નિર્ણયથી પરિવારોને મોટી રાહત મળશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
એસટી નિગમની સેવાઓને ભવિષ્યમાં વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નિગમના યુનિયન પ્રતિનિધિઓ વચ્ચે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસાફરોને વધુ સારી સુવિધા કેવી રીતે મળી શકે અને નિગમની આવક તથા કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ ટેક્નોલોજી તરફ વધતા વલણને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને પણ વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલ મુસાફરો દ્વારા ચૂકવાતા ભાડામાંથી લગભગ ૩૯ ટકા જેટલી આવક કેશલેસ અને ડિજિટલ પેમેન્ટ માધ્યમથી મળી રહી હોવાનું જણાવાયું છે. જેના કારણે પારદર્શિતા વધવા ઉપરાંત રોકડ વ્યવહારની મુશ્કેલીઓમાં પણ ઘટાડો થયો છે.
નિગમના અધિકારીઓનું કહેવું છે કે આગામી સમયમાં મુસાફરોને વધુ આરામદાયક અને સમયસર સેવા મળે તે માટે ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાઓમાં પણ વધારો કરવામાં આવશે. નવી ભરતી, આધુનિકીકરણ અને ડિજિટલ સેવાઓના કારણે એસટી નિગમને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
રાજ્યમાં રોજગારીની તકો વધારવા સાથે જાહેર પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવતા આ નિર્ણયને યુવાઓ અને એસટી કર્મચારીઓ બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે અને તેની જાહેરાત ક્યારે બહાર પડશે તેની રાહ હજારો યુવાનો જોઈ રહ્યા છે.

 

You Might Also Like

260 જિંદગીઓ ગળી ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ખુલાસો ટૂંક સમયમાં

ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો

લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
ગુજરાત

ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ

Editor By Editor 4 days ago
સૂર્યની શક્તિ હવે બેટરીમાં કેદ કરશે ગુજરાત
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
ગીર સોમનાથનું વિજ્ઞાન પ્રવાહનું 84.75 %, સામાન્ય પ્રવાહનું 93.57 % ઝળહળતું પરીણામ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?